ઈસ્લામાબાદ: જે સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભીડની હિંસા પર જ્ઞાન આપી રહ્યા હતા, ચાર મહિલાઓ સાથે ક્રૂરતાની તમામ હદો ત્યારે પાર થઈ રહી હતી. ફૈસલાબાદમાં કેટલાક યુવકોએ મહિલાઓ સાથે મારપીટ કરી અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા. રસ્તાની વચ્ચેવચ મહિલાઓ સાથે હેવાનીયત આચરવામાં આવી અને ઈમરાન સરકારની પોલીસને કઈ જ ખબર નહતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાને લઈને સરકાર પ્રત્યે જનતામાં ગુસ્સો
વીડિયો સાથે દાવો કરાયો છે કે મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી. જેના બદલામાં તેમની કપડાં ઉતારી દેવાયા અને ડંડાથી પીટાઈ કરવામાં આવી. આ ઘટનાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ ગુસ્સો છે. જો કે બાજમાં પંજાબ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે વારદાતમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. 


Omicron ના વધતા જોખમ વચ્ચે WHO યુરોપે આપી ચેતવણી, '5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ'


ઈમરાન ખાને કહ્યું- હિંસા સહન નહીં કરાય
આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર ધર્મના નામ પર ભીડની હિંસાને સહન નહીં કરે અને આ માટે જવાબદાર લોકોને છોડશે નહીં. ઈમરાન ભીડ દ્વારા માર્યા ગયેલા શ્રીલંકન નાગરિક પ્રિયંતા કુમારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આયોજિત એક શોકસભાને સંબોધી રહ્યા હતા. કુમારાની ગત અઠવાડિયે પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ઈશનિંદના આરોપમાં ભીડે પીટાઈ કરીને હત્યા કરી હતી અને તેમના મૃતદેહને આગ લગાવી હતી. 


શ્રીલંકન નાગરિકના લિંચિંગની ઘટના પર પાકિસ્તાનના મંત્રીનું શરમજનક નિવેદન, જુઓ Video 


સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત
ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેની સ્થાપના ઈસ્લામના નામ પર થઈ હતી પરંતુ સિયાલકોટ જેવી ઘટનાઓ શરમની વાત છે. તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણ રીતે અલગ દિશામાં જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રએ પયગંબરના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. ખાને કહ્યું કે સિયાલકોટના વેપારી સમુદાયે મૃતક શ્રીલંકન નાગરિકના પરિવાર માટે 1 લાખ ડોલર ભેગા કર્યા છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારને સરકાર પણ આર્થિક મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube