નવી દિલ્હી: કોરોના (Corona Virus) મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે (Antonio Guterres) ગુરુવારે ભારતના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. યુએન ચીફે ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે આજે તે દુનિયા માટે 'સૌથી મોટી અસ્કયામત (asset) છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારો સાથે વાતચીત કરતા યુએન (UN) ચીફે કહ્યું કે મને ખબર છે કે ભારતમાં મોટા પાયે સ્વદેશમાં વિક્સિત રસીઓ (Corona Vaccine) નું પ્રોડક્શન થાય છે. અમે આ માટે ભારતીય સંસ્થાનોના સંપર્કમાં છીએ. અમને પૂરેપૂરી આશા છે કે ગ્લોબલ વેક્સિનેશન કેમ્પેઈનને સફળ બનાવવા માટે ભારત (India) દરેક પ્રકારની જરૂરી મોટી ભૂમિકા ભજવશે.


Farmers Protest: અચાનક કેમ બદલાઈ ગયા ટિકૈતના સૂર? રડી પડ્યા, આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત


ગુતારેસે કહ્યું કે મને લાગે છે કે ભારત (India) ની પ્રોડક્શન કેપેસિટી આજે દુનિયા માટે સૌથી મોટી અક્યામત છે. હું આશા રાખું છું કે દુનિયા એ વાતને સમજે કે આ અસ્કયામત (asset) નો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube