નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સુશાંત મોત કેસની તપાસ મુંબઈ પોલીસ નહીં પરંતુ CBI જ કરશે


Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો


સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસે માંગ્યો હતો જવાબ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસના અધિકાર કોની પાસે હોય તેને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો પાસેથી લેખિતમાં જવાબ માંગ્યા હતાં. બિહાર સરકાર, રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી લેખિતમાં જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયા હતાં. આ બાજુ સીબીઆઈ તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ અપાયો હતો. જવાબમાં કહેવાયું હતું કે કોર્ટે સીબીઆઈ અને ઈડીને તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ. 


સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો 


અત્રે જણાવવાનું કે બિહાર સરકાર પહેલેથી જ પટણામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપી ચૂકી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને તપાસ સોંપાવવાની વાતનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારની દલીલ હતી કે મુંબઈ પોલીસ જ આ કેસની તપાસ કરે કારણ કે તેઓ આ કેસમાં 56 લોકોના નિવેદન નોંધી ચૂક્યા છે. 


મહારાષ્ટ્ર સરકારનો પક્ષ
મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલ કરી રહ્યાં હતાં. સરકારનું કહેવું હતું કે બિહાર સરકારનું અધિકાર ક્ષેત્ર નથી. આ ફેડરેલ સ્ટ્રક્ચરનો સવાલ છે.  ઉદ્ધવ સરકાર તરફથી એ પણ કહેવાયું હતું કે સુશાંતના મોતનો કેસ મુંબઈ પોલીસનું અધિકાર ક્ષેત્ર છે કારણ કે કારણ કે ઘટના મુંબઈમાં ઘટી છે. પીડિત અને આરોપી તથા સાક્ષીઓ બધા મુંબઈના છે.


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે


સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ
સુશાંતના પિતાએ FIR પટણામાં નોંધાવી હતી પરંતુ ત્યારબાદ તેઓ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી રહ્યાં હતાં. વકીલ વિકાસ સિંહે કહ્યું કે અમે ફેર તપાસ ઈચ્છીએ છીએ. અમે મુંબઈ પોલીસ પર વિશ્વાસ કરી શકીએ નહીં. રિયાએ પૂરો કંટ્રોલ કરી રાખ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે તે કેસમાં તપાસ કરી નથી. સુશાંતનું મોત થયું. જ્યારે દરવાજો ખોલાયો તો સુશાંતની બહેન ત્યાં 10 મિનિટમાં પહોંચવાની હતી પરંતુ તેની રાહ જોવાઈ નહી અને તે જોઈ શકી નહીં કે તે પંખા સાથે લટકેલો હતો કે શું થયું?


સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો VIDEO આવ્યો સામે, જાણો શું છે મામલો


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube