Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં Zee Newsએ મોટો ખુલાસો કર્યો છે. Zee News પાસે સુશાંત સિંહ રાજપૂત અને તેમના મિત્ર કુશલ ઝવેરીની એક્સક્લુઝિવ વોટ્સએપ ચેટ છે. જેનાથી ખબર પડે છે કે સુશાંત મોત પહેલા ડિપ્રેશનમાં નહતો. આ વોટ્સએપ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. 

Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં Zee Newsએ મોટો ખુલાસો કર્યો છે. Zee News પાસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને તેમના મિત્ર કુશલ ઝવેરીની એક્સક્લુઝિવ વોટ્સએપ ચેટ છે. જેનાથી ખબર પડે છે કે સુશાંત મોત પહેલા ડિપ્રેશનમાં નહતો. આ વોટ્સએપ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. 

વોટ્સએપ ચેટમાં સુશાંત તેમના મિત્રને જણાવે છે કે તેમનું સ્વાસ્થ્ય એકદમ સારું છે. પછી તેઓ કુશલને સમજાવે છે કે જીવનમાં સંઘર્ષ માર્ગથી જરાય ન ડરવું જોઈએ, તે જ  જીવનનો ગોલ્ડન પીરિયડ હોય છે. 

WhatsApp Chat between Sushant singh rajput and his friend Kushal Zhaveri

અત્રે જણાવવાનું કે આ વોટ્સએપ ચેટથી સ્પષ્ટ થાય છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની કરિયર અને ભવિષ્યને લઈને ખુબ સકારાત્મક અને ખુબ જ આશાવાદી હતાં. તેનાથી સુશાંત ડિપ્રેશનમાં હોવાની થીયરી ખોટી સાબિત થઈ રહી છે. 

સુશાંતના બોડીગાર્ડ રહી ચૂકેલા નવીન દલવીએ પણ તેમના ડિપ્રેશનમાં હોવાના દાવાને ફગાવી દીધો છે. નવીને ઝી મીડિયાને જણાવ્યું છે કે સુશાંત ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં. સુશાંતે અનેક લોકોની મદદ ક રી પરંતુ ક્યારેય તેનો ઢંઢેરો પીટ્યો નથી. હું જાન્યુઆરી 2019 સુધી તેમની સાથે હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news