નવી દિલ્હી: અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) હાલ ચર્ચામાં છે. પાયલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી પાયલ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને બીજી બાજુ અભિનેત્રી ઋચા ચઢ્ઢા સાથે પણ તેનો વિવાદ વધી રહ્યો છે. પરંતુ હવે પાયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  પાસે મદદની ગુહાર લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે માફિયા ગેંગ
ગત રાતે પાયલે એક ટ્વીટ કરી છે જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી, પીએમઓ અને મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટમાં પાયલે લખ્યું છે કે "આ માફિયા ગેંગ મને મારી નાખશે અને મારા મોતને આત્મહત્યા કે કઈક બીજુ ખપાવી દેશે."


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube