મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણ શું કોઇ એક તસવીર હોઇ શકે છે. ઇડી (Enforcement Directorate- ED)ની પૂછપરછ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તે લોકો યૂરોપ ટ્રિપ પર ગયા હતા. ત્યાંની એક હોટલના રૂમમાં સુશાંત સિંહ રાજપૂતે એક એક તસવીર જોઇ અને ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી. રિયાએ ઇડીને જણાવ્યું કે તસવીરને જોયા બાદ સુશાંત રુદ્રાક્ષની માળાના જાપ કરવા લાગ્યો હતો. એટલું જ નહી આ લોકોએ યૂરોપ બાદ ઓસ્ટ્રિયા જવાનું હતું. પરંતુ સુશાંત સિંહ રાજપૂતની હાલત વધુ ખરાબ થતાં તે ગયા નહી અને ભારત પરત આવી ગયા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચો સુશાંતના પરિવારની તે ચિઠ્ઠી, જેમાં લગાવવામાં આવ્યા ઘણા મોટા આરોપ


આવા કેસમાં માનસિક રોગોના ડોક્ટર સાગર મુંદડાનું કહેવું છે કે આમ થવાના ખૂબ ઓછા ચાન્સ છે. તમને જણાવી દઇએ કે રિયા ચક્રવતીએ આ ટ્રાવેલ હિસ્ટ્રી 10 ઓગસ્ટ 2019થી માંડીને 25 ફેબ્રુઆરી 2020 સુધીની છે. 13 ઓક્ટોબર 2019ના રોજ જ્યારે સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તી સાથે ઇટલી પહોંચ્યો, તો તેમની તબિયત ખરાબ થવાનું શરૂ થઇ ગયું હતું.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


એક જ દિવસમાં આટલું ટ્રાવેલ કેમ કરવામાં આવ્યું, તેની તપાસ તપાસ એજન્સેઓને ખબર પડી નથી અને આ વાત હવે શંકાના દાયરામાં પણ છે. 2 વાર ફ્રાંસ જવું પછી પાછું સ્વિત્ઝરલેંડ પરત ફરવું, કારણ કે ત્યારબાદ જ્યારે 13 ઓક્ટોબરના રોજ સુશાંત સિંહ, રિયા ચક્રવર્તી અને શોવિક સાથે ઇટલી આવ્યા, ત્યારે સુશાંત સિંહની તબિયત ખરાબ થવાનું શરૂ થઇ ગયું હતું.

ત્યારબાદ આ ત્રણેય 21 ઓક્ટોબર સુધી ઇટલીમાં રોકાયા, અને સુશાંત સિંહની તબિયત સતત બગડતી ગઇ. રિયા ચક્રવતીની કહાનીમાં જે વારંવાર હોટલના રૂમમાં પેટિંગ, ભૂત પ્રેતની કહાની સામે આવી રહી છે, તે આ સમયગાળાની છે. 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી આ ત્રણેય ઓસ્ટ્રિયામાં રોકાયેલા અને પછી સુશાંત સિંહની જીદ બાદ 28 ઓક્ટોબર 2019ના રોજ આ લોકો મુંબઇ પરત ફર્યા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube