નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની આ ભલામણ મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેમણે સુશાંત કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. અત્રે જણાવવાનું કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આ કેસની સીબીઆઈ તપાસની માંગણી થઈ રહી હતી. પટણામાં નોંધાયેલા કેસને મુંબઈ ખસેડવા માટેની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયની પેનલે કેસને ટ્રાન્સફર કરવાની માંગણી પર તમામ પક્ષોને ત્રણ દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે એક સપ્તાહ બાદ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસ: આદિત્ય ઠાકરેના નિવેદન પર ભડકી કંગના, કહ્યું- પહેલા તમારા પિતા પાસે આ 7 સવાલના જવાબ માંગો


કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારી લેવાઈ છે. રિયા તરફથી વકીલ શ્યામ દીવાને કહ્યું કે એસજી તરફથી જે કહેવાયું, અહીં તે મામલો નથી, આવામાં કોર્ટ રિયાની અરજી પર ધ્યાન આપે. શ્યામ દિવાને તમામ કેસ પર રોક લગાવવાની માગણી કરી. શ્યામ દિવાને એમ પણ કહ્યું કે એફઆઈઆર ડ્યુડિક્શન મુજબ નથી. આવામાં કોર્ટ તમામ મામલે રોક લગાવે. 


સુશાંતના આ મિત્રે અચાનક કહ્યું- 'હું જીવતો છું', રિયા અને સિદ્ધાર્થને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો


અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને મોત થયું હતું. તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોત બાદ દરેક જણ તેની સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં હતાં. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube