નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) ના મોત કેસની સીબીઆઈ (CBI) ની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ કેસમાં ટીમ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. આ બધા વચ્ચે એવા ખબર આવી રહ્યાં છે કે રિયા ચક્રવર્તીને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. એવા પણ ખબર છે કે રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક ચક્રવર્તીને પણ DRDO ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ પૂછપરછ માટે બોલાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rhea Chakraborty ના 'જૂઠ્ઠાણા' પર સુશાંતની બહેને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'મારા ભાઈના મોત...'


આ લોકોની આજે થઈ શકે છે પૂછપરછ
શોવિક ઉપરાંત સિદ્ધાર્થ પિઠાની, કેશવ અને નીરજને પણ આજે ક્રોસ ક્વેશ્ચનિંગ માટે બોલાવવામાં આવી શકે છે. ગત એક વર્ષમાં થયેલા ખર્ચા, કંપનીમાં ભાગીદારી, સુશાંત સિંહના અકાઉન્ટમાંથી કાઢવામાં આવેલા પૈસાની પૂછપરછ માટે શોવિક સામે જ CA સંદીપ શ્રીધર અને જાન્યુઆરી 2020 સુધી અકાઉન્ટન્ટ રહેલા રજત મેવાતીને પણ બોલાવવામાં આવી શકે છે. 


સુશાંત કેસ: મુંબઇ પોલીસનો પર્દાફાશ? પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં થયેલી ગડબડ સામે આવી


બીજી બાજુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પણ એક્શનમાં આવી ચૂકી છે. NCBએ પોતાની તપાસ શરૂ કરતા કેટલાક ઈન્ફોર્મર અને સંદિગ્ધો સાથે વાતચીત કરી રહી છે. આ સંદિગ્ધો સાથે ટીમ બંધ બારણે પૂછપરછ કરી રહી છે. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તપાસ એજન્સીને ડ્રગ્સ નેટવર્કને લઈને મહત્વની જાણકારી મળી શકે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube