નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સતત આ કેસમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેસની તપાસ હાલ CBI અને NCB કરી રહી છે. આ બધા વચ્ચે સુશાંતના પરિવાર સાથે ZEE NEWS એ વાત કરી જેમાં ખુબ જ ચોંકાવનારી માહિતી મળી છે. દિશા સાલિયાનના મૃત્યુ બાદથી સુશાંત સિંહ રાજપૂતની અંદર એક વિચિત્ર ડર પેસી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Deepika Padukone ની ડ્રગ્સ ચેટથી ખળભળાટ, ટોચની અભિનેત્રી નશા માટે 'કરગરતી' જોવા મળી!


8 જૂને શું થયું હતું?
8 જૂનના રોજ દિશા સાલિયાનનું મૃત્યુ થયું હતું. 8 જૂને જ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત સાથે લડીને બાન્દ્રાવાળું ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ મીતૂ ઘરે આવી તો સુશાંત સિંહ રાજપૂત ખુબ જ ડરેલો હતો. સુશાંતે મીતૂને કહ્યું કે મારે મારી સિક્યુરિટી વધારવી પડશે. જ્યારે મીતૂએ પૂછ્યું કે એવું તે શું થઈ ગયું, તો તેનો સુશાંત સિંહ રાજપૂતે કોઈ જવાબ આપ્યો નહતો. 


આ ટોચની અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી હતી, કારણ જાણી નવાઈ લાગશે


કેમ ડરેલો હતો સુશાંત?
ત્યારબાદ 11 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના ઘરના એકદમ નીકટના વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ દમરિયાન પણ સુશાંત ખુબ ડરેલો હતો. સુશાંતે તેના કૌટુંબિક સભ્યને કહ્યું હતું કે 'આ લોકો મને ફસાવી દેશે. આ લોકો ખુબ પાવરફૂલ છે, તે લેપટોપ પણ લઈને જતી રહી છે'. જ્યારે સુશાંત સિંહને પૂછવામાં આવ્યું કે તું આટલો મોટો સ્ટાર છે, કોણ તને ફસાવી દેશે, શેમા ફસાવી દેશે? તો એકવાર ફરીથી સુશાંત સિંહ જવાબ આપ્યા વગર આમતેમ જોવા લાગ્યો હતો. 


ડ્રગ્સ કેસ: જયા બચ્ચને બોલિવુડનો પક્ષ લેતા જ વાયરલ થયો પુત્રી શ્વેતાનો આ VIDEO, લોકોએ પૂછ્યા સવાલ


આ કૌટુંબિક સભ્યના જણાવ્યા મુજબ જ્યારે સુશાંત ખુબ જ પરેશાન થઈ જતો હતો ત્યારે તે શેવિંગ કરતો નહતો. દિશા સાલિયાનનું મોત 8 જૂનના રોજ થયું હતું, 11 જૂને પણ વાત કરતો હતો ત્યારે તેની દાઢી ખુબ વધી ગઈ હતી.


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube