વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત છે. મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલા મેડિકલ બુલેટિન પ્રમાણે શહેરમાં નવા 32 કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1372 પર પહોંચી ગઈ છે. આજે કુલ 185 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 32નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે મૃત્યુઆંક 47 પર યથાવત છે. તો 15 દર્દીઓ સાજા થતાં તેને હોસ્પિટલમાંથ રજા આપવામાં આવી છે. જેમાંથી ખાનગી હોસ્પિટલનો 1, ગોત્રી હોસ્પિટલનો 1, સયાજી હોસ્પિટલનાં 9 અને હોમ આઇસોલેશનનાં 4 સહિત 15 જણા  સાજા થયા.વડોદરામાં  આજ સુધી કુલ 871 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


કોંગ્રેસે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોને વલસાડના રિસોર્ટમાં રાખ્યા


શહેરમાં હાલ 454 દર્દીઓ સારવાર હેઠળ છે .જેમાંથી 362 સ્ટેબલ, 60 ઓક્સિજન પર અને 32 વેન્ટીલેટર પર છે. જ્યારે કોરોના સંક્રમીતોનાં સંપર્કમાં આવેલાં 1030 લોકોને હોમ કવોરંટાઈન કરવામાં આવેલા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર