મૌલિક ધામેચા/અમદાવાદ :લોકડાઉન (Coronavirus) માં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે અને લોકોને નિયમોનો ચુસ્ત અમલ તો કરાવી જ રહી છે. પણ સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને જમવાથી માંડી અનેક સેવાઓ પૂરી પાડી રહી છે. પણ આ સેવાઓ પર પોલીસ ખાતાના જ અધિકારીએ પાણી ફેરવી દીધું છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ચૌધરીએ શાકભાજીના લારીવાળાઓએ નિયમો ન પાળતા દંડાવાળી કરી લારીઓ ઊંઘી ફેંકી દીધી હતી.


ગુજરાતની આ ટબુકડીની અપીલ, લુડો-ગેમ રમો, પણ બહાર નીકળતા નહિ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણનગરના ઉત્તમ નગર કેનાલ પાસે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. લોકો લોકડાઉનને લઈને ઘરમાં જ રહે તે માટે પેટ્રોલિંગમાં નીકળી હતી. પણ ત્યારે વેરા પાસે શાકભાજીની લારીઓ ઉભી હતી. અગાઉ અનેકવાર ડિસ્ટન્સ જાળવીને ઉભા રહેવા કહ્યું હોવા છતાંય આ લોકો નજીકમાં ઉભા હતા. સૂચનાઓનું પાલન ન કરતા આ શાકભાજીની લારીઓવાળાને પોલીસે દંડા લઈને લારીઓ પર પછાડ્યા હતાં. આ લારીવાળાને દોડાવીને બૂમાબૂમ કરીને ભગાડયા અને બાદમાં લારીઓ ઊંઘી વાળી દીધી હતી. શાકભાજી રોડ પર ઢોળી દઈ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. 


 વડોદરાના ડેપ્યુટી મેયર લોકડાઉનના નિયમોને ઘોળીને પી ગયા  


લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે

જોકે આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇ સામે તપાસના આદેશ આપ્યા છે અને પીઆઇ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર