ચેતન પટેલ/સુરત :સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ભાજપના કાર્યાલયે વિરોધ કરતા આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો જોવા મળ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરવા કરવા જતા ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડી પડ્યા હતા. ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેને પગલે કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય ખાતે ભેગા થયા હતા. તો બીજી તરફ દેખાવોને પગલે ભાજપના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા હતા. જેને પગલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. 


કનુએ રણજીત અને પત્નીને નિર્વસ્ત્ર થવા કહ્યું, અને પછી ક્રાઈમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો


સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરનુ શિડ્યુલ પણ બદલાયું 


ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ, સ્વનિર્ભર સ્કૂલોને મંજૂરી મળતા શિક્ષણ મોઘું થવાની ભીતિ