Cyclone Biparjoy: બિપરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ ચૂક્યું છે. જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડા પહેલા ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાને ઘમરો


16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ગુજરાતથી સાયક્લોન ટકરાઈને રાજસ્થાન તરફ જશે. જેથી 15, 16 અને 17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે..વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.


બિપોરજોયના 'મહાભયાનક' ખતરા વચ્ચે CM નો વીડિયો સંદેશ, નાગરિકોને કરી ખાસ અપીલ


ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત
ચક્રવાત "બિપરજોય" સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન "બિપરજોય" દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. 12 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે.


ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું


NDRF ટીમો તૈનાત
અમિત શાહે કહ્યું કે, કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.


15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!


વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું
ગૃહમંત્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું. કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ પુનઃસ્થાપિત કરી શકાય તેવી તૈયારીઓ કરવી તેમજ તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.


આ વર્ષે સારું નહીં જાય ચોમાસું! વાવાઝોડાના કારણે દેશભરમાં વરસાદ પર કેવી થશે અસર?


સોમનાથ અને દ્વારકાની આસપાસ તૈયારીઓ
શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાનની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. અમિત શાહે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.


શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં મચાવશે તબાહી
    
 8 જિલ્લાના 15 લાખ લોકોને કરશે અસર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો. મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત ૮ જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ રપ તાલુકા છે જેમાં ૦ થી ૫ કી.મી માં ર૬૦ ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા ૧૪,૬૦,૩૦૦ છે. ૫ થી ૧૦ કિ.મી. વિસ્તારમાં ૧૮ર ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે ૪ લાખ પ૦ હજાર છે. 


ગુજરાતમાં આ જગ્યા ટકરાઈને તબાહી મચાવશે વાવાઝોડું! હજારો લોકોનું સ્થળાંતર


તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત ૪૩૪ નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ રપ તાલુકાઓમાં ૧પર૧ આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૮ જિલ્લાઓમાં ૪૫૦ હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


Cyclone Biparjoy Live Updates: 150 કિલોમીટરની ઝડપે ફૂંકાનાર પવન ભુક્કા કાઢશે, 5 દિવસ વરસાદની આગાહી


આ જિલ્લાઓમાં મીઠું પકવતા ૮૬૮ અગરિયાઓ તેમજ ૬,૦૮૦ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ૨૮૪ ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. ૫,૩૩૦ અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા ૧૫,૦૬૮ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે. 


નોંધી લેજો આ નંબરો! વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમા કંટ્રોલરૂમ કાર્યરત


8 જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટુકડીઓને તૈનાત
તેમણે વધુમાં કહ્યું કે, આ ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી ૪,૦૫૦ હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ ૨૧,૫૯૫ બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે ૨૭ જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ ૨૪ મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે.


ગુજરાતમાં જોરદાર વાવાઝોડાને કારણે 4 ના મોત, ખતરા વચ્ચે પોરબંદરથી આવ્યા રાહતના સમાચાર


વીજળીના થાંભલાઓ પડી જવાની સ્થિતિમાં રીપેરીંગ કરી આપવા માટે ઉર્જા વિભાગ દ્વારા સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે.વાવાઝોડા સમયે રસ્તાઓના રીપેરીંગ માટેના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને હટાવવા માટે વન વિભાગની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડા અંગેની મહત્વની જાણકારી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.


Cyclone: ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર, ગુજરાતના તમામ એરબેઝ પર હેલિકોપ્ટર સ્ટેન્ડબાય


હવામાન વિભાગના મહાનિર્દેશકે ગૃહ પ્રધાનને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) પહોંચે.) અને કરાચી ( પાકિસ્તાન) પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે. 


ગુજરાત છેલ્લા 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું જોશે! અંબાલાલની ફરી આકરી આગાહી