Gujarat Monsoon 2023: રાજ્યાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમય અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અવિરત વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં લોકોની મુસીબતમાં પણ વધારો કર્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ 4 અંડરપાસ બંધ


ઠેર ઠેર ટ્રાફિક જામ
અમદાવાદમાં આજે સાંજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને. સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. સિંધુભવન રોડ પાસે પણ ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈવેના સર્વિસ રોડ પર 4થી 5 ફૂટ પાણી ભરાયા છે.  


જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, લોકોનાં ઘરોમાં પાણી પાણી


અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 4 અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર , મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી પણ સાંજની તીવ્રતા મુજબ અતિ ભારે વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે.  એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.


અ'વાદ પાણી પાણી…! અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી,આ વિસ્તારોમાં 3 ઈંચ સુધી વરસ્યો


વરસાદી પાણીને કારણે અનેક વાહનો બંધ થયા છે તેમજ પ્રહલાદનગર પાસે 3 ફૂટ પાણી ભરાયા છે તો છારોડીથી ગોતા વચ્ચે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. નહેરુનગર-માણેકબાગ રોડ પર ભારે વરસાદ ખાબકતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સાંજે ઓફિસથી ઘરે જવાનો સમય હોવાથી વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે ગાંધીનગર તરફથી આવતો-જતો ટ્રાફિક ખોરવાયો છે. વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે. વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાયો છે.


ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા 107 ટકા વધુ


કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં 2 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 7 થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 7-8 ડમરિયાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 


મોટી ખુશખબરી, સરકારે વધાર્યા વ્યાજદર, હવે PPF-SSY પર મળશે આટલો ફાયદો