અમદાવાદ : છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા


ભાવનગર જિલ્લાનાં તળાજા તથા મહુવા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે પાણી ગામ બહાર કાઢી નાખ્યા હતા. તળાજા પંથકના લીલીવાવ, દકાના, રાતાખડા, પાવઠી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મહુવામાં પસવી, બોરડા, જાગધાર અને ભાદ્રોડ સહિતનાં ગામોમાં વરસાદ નોંધાયો હતો. 


રાજકોટ: પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું


બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડાના ધામળેજ આસપાસના ગામો અને કોડીનાર પંથકમાં વરસાદ શરૂ થયો છે. દરિયાકાંઠા વિસ્તારોના ધામળેજ, કણજોતર, બરડા, દ્વારકા સહિતનાં ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર