Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : જો હવે સ્કુલમાં મોબાઇલ વાપરતા હોવ તો ચેતી જજો. કારણ કે, શૈક્ષણીક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદના ડીઇઓએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. અનેક સ્કુલોમાં શૈક્ષણીક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ વાપરશે તો કાર્યવાહી થશે 
અમદાવાદની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકાયો છે. શૈક્ષણીક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઇલના વ્યક્તિગત વપરાશ પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદના ડીઇઓએ આ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ, સ્કુલમાં પ્રવેશતાની સાથે જ શિક્ષકોએ પોતાનો મોબાઈલ આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકશે. જે શિક્ષકો ચાલુ કામગીરીમાં મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે. આચાર્યને મોબાઇલ રજીસ્ટર જાળવવા પણ સુચના અપાઈ છે. 


કોઈ બોલવા તૈયાર નથી, ઉપરથી દબાઈ ગયો ગુજરાતનો આ કેસ, કરોડોને નશીલા કરવાનો હતો ખેલ


 


પાલિકાવાળા મારી લારી લઈ ગયા : એક મૂકબધિર ગરીબે ઈશારાથી છલકાવ્યું દર્દ, આસું છલકાયા


ડમી સ્કૂલ સામે આપનો વિરોધ 
રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલ મામલે આમ આદમી પાર્ટીની પ્રેસ કોંફરન્સ કરી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે એજ્યુકેશન સેલના વાઇસ પ્રેસિડેન્ટ શીતલબેન ઉપાધ્યાયે જણાવ્યું કે, ડમી સ્કૂલ સામે સરકાર 15 દિવસમાં એક્શન નહીં લે તો કાયદો હાથમાં લઈ તાળાબંધી કરીશું. કોઈપણ એક્શન અમારી સામે લેવાશે, ડરીશું નહીં, સરકાર પગલાં લે, નહીં તો અમે તાળાબંધી કરીશું. મીડિયાના અભિયાનથી અમદાવાદ ખાતે DEO થોડા જાગૃત થયા, એમણે પ્રયાસ કર્યો છે એ બદલ મીડિયાનો આભાર. સરકારના બહેરા કાન સુધી અમે કરેલું સ્ટિંગ પહોંચાડવામાં આવ્યું હતું. હજુય માત્ર અમદાવાદના DEO જાગૃત થયા છે, પણ સ્થિતિ સમગ્ર રાજ્યમાં એક જેવી જ છે. ડમી સ્કૂલો સાથે સાંઠગાંઠ કરી માફિયાઓ કામ કરી રહ્યા છે. શિક્ષણ સાથે રાજનીતિ કરવી યોગ્ય નથી, શિક્ષણને ખતમ કરવાનું બંધ કરવામાં આવે. શૈક્ષણિક કાર્યના હેતુ માટે મોબાઈલનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ વ્યક્તિગત કામમાં શિક્ષણકાર્ય દરમિયાન મોબાઈલ ના વાપરવા આદેશ કર્યો છે.


બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી ઘટના : ક્રેન તૂટતા ચાર મજૂર દટાયા, એક મોત


 


કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ