અમદાવાદ: અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’રામકથા ચાલી રહી છે. જેમાં દેશભરમાંથી સેંકડો ગણિકાઓ (નગરવધુઓ) તેમજ તેમના પુન:વસન માટે કાર્યરત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. ત્યારે સુરત અને નેપાળ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ગણિકાઓના પુનઃ વસન માટે મોરારીબાપુની સહાય જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન: બાવળીયા બોલ્યા-આ તો ટ્રેલર છે ફિલ્મ હવે બાકી છે


તારીખ 21 ડિસેમ્બરના રોજ નેપાળ ખાતે રામરી ગામ નજીક નેપાળની કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત સર્જાઇ હતી અને તેમાં 23 વિદ્યાર્થીઓ મોત થયા હતા. તેમજ તારીખ 22 ડિસેમ્બરના રોજ ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના એક ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પ્રવાસમાં નીકળ્યા હતા. આ બસમાં 97 વિદ્યાર્થીઓ સવાર હતા. વિદ્યાર્થીઓ ભરેલી આ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી. જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય 20 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થઇ હતા. જેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


વધુમાં વાંચો: જસદણ પેટાચૂંટણી: BJPના વિજય પર હાર્દિકે કહ્યું- 'આખુ પ્રશાસન કામે લગાવ્યું, છતાં 20,000 મતથી જીત'


નેપાળ અને સુરત આ બંને અકસ્માતના વિદ્યાર્થીઓના પરિવારજનોને મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય મોકલાવી છે. આ અકસ્માતના મૃતક વિદ્યાર્થીઓને આપવામાં આવતી સહાય રામકથાના શ્રોતાઓ દ્વારા વિવરિત કરવામાં આવશે. આમ આ બંને અક્સમાતના મૃતકો માટે કુલ 1,65,000ની સહાય મોકલાવી છે.


વધુમાં વાંચો: નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સો, સ્થાનિકોએ ઝડપી કર્યા પોલીસને હવાલે


દેશની ગણિકાઓને આપશે આટલી સહાય
સમાજમાં ગણિકાઓને સામાજિક દાયરામાં બેસવાનો અધિકાર નથી. ત્યારે હાલમાં અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’ રામકથા ચાલી રહી છે. અયોધ્યામાં આ કથા 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જેમાં દેશભરમાંથી સેંકડો ગણિકાઓ તેમજ તેમના પુન:વસન માટે કાર્યરત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આ બહેનોના પરિવારો માટે, તેમના પુનઃ વસન માટે મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા 11 લાખની રાશી આપવાની જાહેરાત કરી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...