નવી દિલ્હી: કૃષિ કાયદા ( Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન ( Farmers Protest)  ના નામ પર પ્રોપગેન્ડા ફેલાવીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. હવે આ મામલે ખુલાસો થયો છે કે તેની પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા છે અને તેમા ખાલિસ્તાની સંગઠનની પણ મોટી મુહિમ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની દૂતાવાસ કરે છે મદદ
સૂત્રોના જણાવ્યાં મુજબ કેનેડા, યુકે, જર્મની અને અમેરિકા જેવા દેશોમાં સક્રિય ખાલિસ્તાની સંગઠન (Khalistani Organization) મોદી સરકાર અને ભારતને બદનામ કરવાની મોટી મુહિમમાં સામેલ છે. આ કામમાં શીખ ફોર જસ્ટિસ(SFJ) જેવા ખાલિસ્તાની સંગઠનને કેનેડા, યુકે અને અમેરિકામાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ મદદ કરી રહ્યા છે. 


Farmers Protest: Ghazipur Border પર લગાવેલા ખિલ્લા હટાવવાના ખબર વાયરલ, જાણો દિલ્હી પોલીસનો જવાબ


પાકિસ્તાને પીઆર એજન્સીઓને કામ પર લગાવી
પાકિસ્તાન (Pakistan) ની આઈએસઆઈ (ISI) એ ભારતને બદનામ કરવા માટે કેટલીક પીઆર એજન્સીઓને પણ કામે લગાવી છે. જે અનેક દેશોમાં સાંસદ, મોટી હસ્તીઓ અને મોટી સંખ્યામાં જેના ફોલોઅર્સ છે તેવા ટ્વિટર હેન્ડલ્સ દ્વારા ભારત સરકારને બદનામ કરવામાં લાગ્યા છે. 


Chauri Chaura centenary celebrations: આપણા ખેડૂત જો વધુ સશક્ત થશે તો કૃષિ ક્ષેત્રની પ્રગતિ વધારે ઝડપી થશે-PM મોદી


ભારતમાં રહેલા લોકો પણ આ મુહિમમાં સામેલ
ભારત વિરુદ્ધ થઈ રહેલા ટ્વીટ્સને પાકિસ્તાની હેન્ડ્લ્સ હજારોની સંખ્યામાં રીટ્વીટ કરી રહ્યા છે. ભારતમાં રહેલા કેટલાક સંગઠનો, પત્રકાર અને નક્સલીઓ સાથે જોડાયેલા કેટલાક લોકો ખાલિસ્તાની સંગઠનો સાથે મળીને ભારત વિરુદ્ધ મુહિમમાં લાગ્યા છે, જેથી કરીને મોદી સરકારને નમાવી શકાય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube