લખનઉ: કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિજનો સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવતા કહ્યું કે મેં સાભળ્યું છે કે આરોપીઓના સત્તારૂઢ પક્ષ ભાજપ (BJP) સાથે કઈંક સંબંધ છે. જેના કારણે આરોપીઓને સંરક્ષણ મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓના મનમાં કોઈ ડર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)  ઉપર પણ નિશાન સાધ્યું. પ્રિયંકાએ કહ્યું કે સીએમ યોગી કહે છે કે યુપીમાં અપરાધીઓ માટે કોઈ જગ્યા નથી. પરંતુ તેમણે ઉત્તર પ્રદેશને કેવા રાજ્યમાં ફેરવી નાખ્યું છે. હું વિચારું છું કે અહીં મહિલાઓ માટે કોઈ જગ્યા નથી.  આ બાજુ ઉન્નાવ પીડિતાના પરિજનોએ કહ્યું કે પ્રિયંકા ગાંધીએ અમને કહ્યું છે કે તેઓ અમારી સાથે ન્યાય માટે લડશે. અમારી એક જ માગણી છે કે દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવે. ત્યારે જ પીડિતાના આત્માને શાંતિ મળશે. 


ઉન્નાવ રેપ કેસ: રાહુલ ગાંધીએ કહ્યું- 'વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો'

કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસ (Unnao Rape Case)  પીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. 


રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે, "ઉન્નાવની માસૂમ દીકરીનું દુ:ખદ અને હ્રદયદ્રાવક મોત, માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું."


શુક્રવારે રાતે 11.40 વાગે પીડિતાએ છેલ્લા શ્વાસ લીધા
અત્રે જણાવવાનું કે શુક્રવારે રાતે 11.40 વાગે પીડિતા (Victim) એ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો. જેની જાણકારી પીડિતાની બહેને આપી હતી. હોસ્પિટલના  બર્ન અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના એચઓડી ડો.શલભકુમારે પીડિતાના નિધનના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા કહ્યું હતું કે રાતે લગભગ 11.40 વાગે પીડિતાના હ્રદયે કામ કરવાનું  બંધ કરી દીધું. ડોક્ટરોની તમામ કોશિશો છતાં તેની સ્થિતિમાં કોઈ સુધાર થયો નહીં અને રાતે 11.40 વાગે તેનું નિધન થયું. 


જિંદગીની જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, મરતા પહેલા ભાઈને કહ્યું હતું-મારું મોત થાય તો આરોપીને છોડતા નહિ


જો કે 90ટકાથી પણ વધુ દાઝી ગયેલી આ પીડિતાએ છેલ્લી ઘડી સુધી હાર માની નહતી. ગુરુવારે રાતે 9 વાગ્યા  સુધી તે હોશમાં હતી. જ્યાં સુધી તે હોશમાં હતી ત્યાં સુધી કહેતી રહી કે મને બાળનારાઓને છોડતા નહીં. ત્યારબાદ ઊંઘમાં સરી પડી. ડોક્ટરોએ પૂરેપૂરી કોશિશ કરી, વેન્ટિલેટર પર રાખી પરંતુ તે ગાઢ ઊંઘમાંથી બહાર આવી નહીં. 


આ VIDEO પણ ખાસ જુઓ...


ઉન્નાવ (Unnao)  જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મ પીડિતાને ગુરુવારે જ્વલંત પદાર્થ છાંટીને બાળવાનો પ્રયત્ન કરાયો. રાયબરેલી જવા માટે વહેલી સવારે તે રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે દુષ્કર્મ પીડિતા યુવતીને કેટલાક લોકોએ આગ લગાવી દીધી અને ભાગી ગયાં. ત્યારબાદ પાસેના એક ગેસ એજન્સીના ગોદામના ગાર્ડની સૂચના પર પહોંચેલી પીઆરવીએ તેને સુમેરપુર સીએચસી પહોંચાડી જ્યાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ. હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેને લખનઉ સિવિલ હોસ્પિટલ રેફર કરાઈ. 


યુવતી લગભગ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. તેની સ્થિતિ ખુબ ગંભીર હતી. ઉન્નાવમાં આગના હવાલે કરાયેલી દુષ્કર્મ પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લખનઉથી એરલિફ્ટ કરીને શિફ્ટ કરાઈ હતી. પીડિતાને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવામાં આવી. જ્યાં તેણે ગઈ કાલે રાતે છેલ્લા શ્વાસ લીધા. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube