અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારબાદ તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. નૃત્ય ગોપાલ દાસ હાલ મથુરામાં છે. આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube