તરનતારન: દિલ્હી (Delhi) ના ઉપદ્રવીઓ પર પોલીસનો ગાળિયો મજબૂત થતા જ ભાગદોડ મચી છે. લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો લગાવનાર ઉપદ્રવી પોલીસના રડાર પર છે. પોલીસ ધરપકડથી બચવા માટે આ લોકો છૂપાઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઝંડો ફરકાવનારા જુગરાજ સિંહ (Jugraj Singh ) ના પરિવારના સભ્ય અને તેના સમર્થક ગ્રામીણ પોલીસ કાર્યવાહીની બીકથી પંજાબના ગામ તારા સિંહથી ફરાર થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહેવું છે દાદાનું
લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો લગાવનારા યુવકની ઓળખ પંજાબના તરનતારનના ગામ તારા સિંહના જુગરાજ સિંહ ( Jugraj Singh)  તરીકે થઈ છે. જેવી પોલીસની કડક કાર્યવાહીની તેમને ખબર પડી કે જુગરાજના માતા પિતા વૃદ્ધોને ઘરમાં છોડીને ભાગી ગયા છે. જ્યારે જુગરાજે ઝંડો લગાવ્યો હતો ત્યારે તેના દાદાએ કહ્યું હતું કે બારી કૃપા હૈ બાબે દી, બહોત સોહન હૈ. એક દિવસ બાદ જ્યારે પોતાના પૌત્રના કૃત્ય અંગે પૂછવામાં આવ્યું તો બોલ્યા, અમે નથી જાણતા કે શું થયું અને  કેવી રીતે થયું, તે એક સારો છોકરો છે, જેણે અમને ક્યારેય ફરિયાદ કરવાની તક આપી નથી. 


Red Fort હિંસા બાદ પોલીસની મોટી કાર્યવાહી, Singhu Border પર લંગરની ગાડીઓ પર પ્રતિબંધ


ગામવાળાએ ગણાવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના
ગ્રામીણોનું કહેવું છે કે પોલીસ જુગરાજના ઘર પર સતત દરોડા પાડી રહી છે પરંતુ દર વખતે તેમને ખાલી હાથે પાછું ફરવું પડ્યું. જુગરાજના ઘર પર હાજર ગ્રામીણ પ્રેમ સિંહે જણાવ્યું કે ટીવી પર આ ઘટના જોઈ હતી. જુગરાજનું કૃત્ય નિશ્ચિતપણે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ આ યુવા અને નિર્દોષ છોકરાને  લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાના પરિણામની ખબર નહતી. પહેલેથી આવી કોઈ યોજના ન હતી. કોઈએ તેને એક ઝંડો આપ્યો અને તેને ફરકાવવા માટે કહ્યું અને તે ઉપર ચડી ગયો.'


Red Fort Violence: Deep Sidhu અને Lakha Sidhana વિરુદ્ધ કેસ દાખલ, દર્શનપાલને પણ ફટકારી નોટિસ


કોણ છે જુગરાજ સિંહ
લાલ કિલ્લા પર ઝંડો લગાવનારો જુગરાજ સિંહ મેટ્રિક પાસ છે. 24 જાન્યુઆરીના રોજ ગામથી બે ટ્રેક્ટર ટ્રોલીઓ ખેડૂત આંદોલન(Farmers Protest)   માટે દિલ્હી (Delhi) રવાના થઈ હતી. જુગરાજ સિંહ તેમની સાથે જ દિલ્હી ગયો હતો. દાદા મેહલ સિંહે જણાવ્યું કે પરિવાર પાસે બે એકર જમીન છે. પરિવાર પર ચાર લાખનું દેવું પણ છે. 26 જાન્યુઆરીના રોજ રાતે દસ વાગતા જ પોલીસની એક ટીમ જુગરાજ સિંહના ઘરે પહોંચી અને પરિવારની પણ પૂછપરછ કરાઈ. પૂછપરછ દરમિયાન જુગરાજ સિંહના પિતા બલદેવ સિંહે જણાવ્યું કે અઢી વર્ષ પહેલા ચેન્નાઈ સ્થિત ખાનગી કંપનીમાં કામ કરવા ગયો હતો. પરંતુ પાંચ મહિનામાં જ પાછો આવી ગયો. ત્યારબાદ ખેતીનું કામ કરતો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube