નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરીએકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલા સાથે તેમની તસવીર સામે આવ્યા બાદ અનેક લોકોના નિશાન પર છે. જો કે સિદ્ધુએ ચાવલાને ઓળખતા હોવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેના પર  ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું કે હવે તમે કહેશો કે મારે ખાલિસ્તાન સાથે કોઈ સંબંધ નથી અને હું તેની નિંદા કરું છું. સ્વામીએ એમ પણ કહ્યું કે સિદ્ધુની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) પાસે કરાવવી જોઈએ. આ સાથે જ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે બજરંગબલીની જાતિ પર વિવાદ, 'હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે' 


અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજરી પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. ચાવલાએ સિદ્ધુ સાથેની મુલાકાતની તસવીર પણ ફેસબુક પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ધુને 'પાજી' કહીને સંબોધિત કર્યા હતાં. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે. 


ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલાએ સિદ્ધુ સાથે શેર કરી તસવીર, FB પોસ્ટમાં લખ્યું 'પાકિસ્તાન જિંદાબાદ'


ગોપાલ ચાવલા સાથેની તસવીર અંગે શું કહ્યું હતું સિદ્ધુએ?
પાકિસ્તાનથી પાછા ફર્યા બાદ અટારી વાઘા બોર્ડર પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે બંને દેશોએ આપસી દુશ્મની ખતમ કરવી જોઈએ. પરમાત્મા રસ્તા બનાવે છે અને તેણે બંને દેશોને એક કરવા માટે રસ્તો બનાવ્યો. ચાવલા સાથેની તસવીર અંગે સિદ્ધુએ કહ્યું કે મારા 5થી 10,000 ફોટા પડ્યાં, મને નથી ખબર ગોપાલ ચાવલા કોણ છે. મીડિયા સાથે વાતચીતમાં સિદ્ધુએ ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહ ચાવલાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. તેમણે સ્પષ્ટપણે કહી દીધુ કે ચાવલા કોણ છે તે  તેમને  ખબર નથી. 


રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ટાણે બ્રાહ્મણ સમુદાય શાં માટે હાંસિયામાં ધકેલાયો? વાંચો અહેવાલ


કોણ છે ગોપાલ ચાવલા?
કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં આતંકી હાફિસ સઈદનો સહયોગી અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલા જોવા મળ્યો હતો. તેની સાથે સિદ્ધુની તસવીરથી તો મોટો વિવાદ ઊભો થઈ ગયો. ગોપાલ ચાવલા લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકીઓ સાથે પણ નીકટતા ધરાવતો હોવાનું કહેવાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...