Biparjoy cyclonic storm: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપરજોયને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનો ઝડપથી વિકાસ અસામાન્ય અને ખતરનાક હોય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અસામાન્ય રીતે ગરમ અરબી સમુદ્રે ચક્રવાતની 144 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરી હતી. અરબી સમુદ્રની ગરમી અને ઉર્જાને કારણે બિપરજોય ટકી રહ્યું અને તીવ્ર બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાત બિપરજોયની ભારતમાં ઊંડી અસર જોવા મળી રહી છે. મુંબઈ, ગુજરાત અને કેરળમાં દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપરજોયને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 


બિપરજોય ચક્રવાતે વગાડી ખતરાને ઘંટી, રેડ એલર્ટ જાહેર, પીએમ મોદીએ સંભાળી કમાન
વાવાઝોડાને ધ્યાનમાં રાખી રેલવેએ લીધો નિર્ણય, સૌરાષ્ટ્રથી ચાલતી આ ટ્રેનો થઈ કેન્સલ
વિકરાળ સ્વરૂપ લઈને આગળ વધી રહ્યું છે 'બિપરજોય', NDRF ની વધુ 4 ટીમ ડિપ્લોય કરાશે
ગુજરાતને ધમરોળવા આતુર બનેલા 'બિપરજોય' નામનો અર્થ ખાસ જાણો, ગંભીરતા ખબર પડી જશે


જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટર (JTWC)ના ડેટા અનુસાર, 6-7 જૂનની વચ્ચે બિપરજોયની પવનની ઝડપ 55 kmphથી 84 kmph વધીને 139 kmph થઈ હતી અને તેની પવનની ઝડપ 9-10 જૂન વચ્ચે વધી હતી, જે 75 kmphથી 120 kmph અને આખરે 195 kmph થઈ હતી. . ચક્રવાત બિપરજોય હવે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર છે અને ગુરુવાર બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર, કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે.


નિષ્ણાતોનું કહેવું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનો ઝડપી વિકાસ અસામાન્ય અને ખતરનાક હોય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે  દરિયાઈ સપાટીનું ઉંચુ તાપમાન 31 ° સે અને મજબૂત ઉપલા સ્તર સાથેની અનુકૂળ દરિયાઈ સ્થિતિએ ચક્રવાતના ઝડપી તીવ્રતામાં મદદ કરી છે. ચક્રવાત બિપરજોય 114 કલાકથી ઓછામાં ઓછી કેટેગરી 1નું ચક્રવાત (વાવાઝોડું તાકાત) રહ્યું છે.


ગુજરાતના અનેક બંદરો પર લાગ્યું 10 નંબરનું સિગ્નલ, જાણો કેટલું મોટું છે જોખમ?
ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશકારી 'બિપરજોય' તબાહી મચાવશે, ભૂક્કા બોલાવી દેશે! Photos
ગુજરાતના 10 જિલ્લાઓ પર સંકટ, 150ની ઝડપે ફૂંકાશે પવન, 16મી જૂન સવાર સુધી ખતરો


JTWC અનુસાર, સેટેલાઇટ યુગમાં (1982 થી) ઓછામાં ઓછા કેટેગરી 1 ચક્રવાતની તાકાત (120 kmph) સાથે અરબી સમુદ્રના ચક્રવાત માટે આ સૌથી લાંબો સમયગાળો છે. જેજુ નેશનલ યુનિવર્સિટીના ટાયફૂન રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે, "14 જૂન સુધીમાં અરબી સમુદ્ર પર 35 નોટ (ચક્રવાતની તાકાત)થી વધુની પવનની ઝડપ સાથે તે સૌથી લાંબો સમય ચાલતું ચક્રવાત હોવાની સંભાવના છે."


પ્લેનમાં મુસાફરી ટાળજો, કેન્સલ થઈ શકે છે ફ્લાઈટો, 72 ગામના 8000 લોકોને અપાઈ એલર્ટ
ચક્રવાત બિપરજોય આ દિવસે સર્જશે તબાહી: ઘરમાં રહેવાની એડવાઈઝરી, અહીં સ્કૂલો પણ બંધ
ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું 'બિપરજોય' કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? ખાસ જાણો


આનો અર્થ એ થયો કે અરબી સમુદ્રની ઉષ્ણતા અને ઊર્જાએ બિપરજોયને ટકાવી અને તીવ્ર બનાવ્યું છે, જ્યારે તે છેલ્લા પાંચ દિવસમાં ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, કારણ કે તે બે ઉચ્ચ દબાણવાળા વિસ્તારો વચ્ચે હતું જેણે તેની ગતિ નક્કી કરી હતી.


વિનાશકારી વાવાઝોડાની પાછળ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે, જાણો ક્યાં પહોંચ્યું? 
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો
નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર! વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube