ચક્રવાત બિપરજોય આ દિવસે સર્જશે તબાહી : ઘરમાં જ રહેવાની એડવાઈઝરી, અહીં તો સ્કૂલો પણ રહેશે બંધ

હવામાન વિભાગ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, "બિપરજોય ચક્રવાતનું (biparjoy cyclone)કેન્દ્ર અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે. તે પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 450 કિમી દૂર છે. અનુમાન છે કે તે ઉત્તર અને આગળ વધી શકે છે. 15 જૂન બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠાને પાર કરશે, જેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.

ચક્રવાત બિપરજોય આ દિવસે સર્જશે તબાહી : ઘરમાં જ રહેવાની એડવાઈઝરી, અહીં તો સ્કૂલો પણ રહેશે બંધ

biparjoy cyclone : ચક્રવાત બિપરજોયની (biparjoy cyclone) અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાને કારણે 15 જૂને સૌથી વધુ તબાહી મચી શકે છે. IMD અનુસાર, બિપરજોય ઉત્તર-પૂર્વોત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાર દિવસમાં વરસાદની સંભાવના છે. છેલ્લા બે દિવસથી રત્નાગીરીના દરિયામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. દ્વારકામાં તો સ્કૂલોમાં 2 દિવસની રજાઓ જાહેર કરી દેવાઈ છે. 

બિપરજોય વાવાઝોડાને કારણે 15 જૂનનો દિવસ ખતરનાક બની શકે છે
ભારતીય હવામાન વિભાગે બિપરજોય ચક્રવાત અંગે ચેતવણી આપી છે. IMDએ કહ્યું કે બિપરજોય આવનારા દિવસોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. તે જ સમયે, 15 જૂનની આસપાસ તેના ઉત્તર તરફ આગળ વધવાની પ્રબળ સંભાવના છે.

હવામાન વિભાગ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, "બિપરજોય ચક્રવાતનું (biparjoy cyclone)કેન્દ્ર અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે. તે પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 450 કિમી દૂર છે. અનુમાન છે કે તે ઉત્તર અને આગળ વધી શકે છે. 15 જૂન બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠાને પાર કરશે, જેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

15 જૂને સૌથી વધુ જોખમ
IMDના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે 15 જૂને આવેલું બિપરજોય ચક્રવાત (biparjoy cyclone)સૌથી ખતરનાક માહોલમાં હશે. આવી સ્થિતિમાં તમામ લોકોને ઘરની અંદર અને સુરક્ષિત જગ્યાએ રહેવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતના આગમનને કારણે વૃક્ષો, ઇલેક્ટ્રિક પોલ, સેલફોન ટાવર ધરાશાયી થઈ શકે છે. જેના કારણે વીજળી અને ટેલિકોમ્યુનિકેશનમાં સમસ્યા આવી શકે છે. જેના કારણે ઉભા પાકને પણ નુકસાન થશે.

રત્નાગીરીના દરિયામાં ઉથલપાથલ
છેલ્લા બે દિવસથી રત્નાગીરીના દરિયામાં બિપરજોય (biparjoy cyclone)વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ગણપતિપુલેના બીચ પર રત્નાગીરી તીર્થયાત્રાની અસરને કારણે આ સમયે રત્નાગીરી બીચ પર ભારે મોજાની અસર જોવા મળી રહી છે. બે દિવસ પહેલા, ગણપતિપુલે મંદિરમાં ઊંચા મોજાંથી પ્રવાસીઓ તેમજ વિક્રેતાઓને અસર થઈ હતી. રવિવારે પણ આવા જ તોફાની વાવાઝોડાએ દરિયાકાંઠે ભારે નુકસાન કર્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

આ બંદર પર મૂકાયું 9 નંબરનું સિગનલ
પોરબંદર બંદર પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સિગ્લન બંદર વિસ્તાર તરફ વાવાઝોડુ આવતું હોવાનું સૂચવે છે. પોરબંદર જિલ્લામાં લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપી દેવાઈ છે. તો મોરબી જિલ્લાના નવલખી બંદરે પણ 9 નંબરનું સિગ્નલ મુકવા આદેશ કરાયો છે. બિપરજોય (biparjoy cyclone)વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નવ નંબરનું સિગ્નલ મૂંકાયું છે. ગઈકાલ સુધી નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ હતું, જે હવે બદલાવીને હવે સીધું 9 નંબરનું થયું છે. જે બંદર કાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવતા નવ નંબરનું સિગ્નલ મુકાયું છે. તો દ્વારકાના ઓખા બંદર લગાવાયું ૯ નંબરનું સિગ્નલ મૂકાયું છે. સાથે જ નીચાણવાળા લોકોને સ્થળાંતર કરવાના આદેશ છૂટ્યા. લોકોને દરિયા કિનારાથી દુર રહેવા અપીલ કરાઈ છે. 

મોરબીના નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ લાગતા તમામ કામગીરી બંધ કરવા આદેશ કરાયા. નવલખી બંદરે આવતા કોલસાની હેરાફેરી માટે દોડતા ટ્રકોમાં લોડિંગ અને લોડીંગ બંધ કરવા આદેશ છૂટ્યા. બપોર બાદ મોરબીના નવલખી બંદર ઉપરથી તમામ લોકોને બહાર કાઢવા માટે જીલ્લા કલેકટરનો આદેશ.

અભ્યાસ મુજબ અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની તીવ્રતા ચોમાસા બાદના મૌસમમાં લગભગ 20 ટકા અને ચોમાસા પહેલાના સમયમાં 40 ટકા વધી છે. સમુદ્ર ઉપર એક ચક્રવાતી તોફાની જેટલા વધુ સમય માટે રહે છે, તેટલી જ વધુ ઉર્જા અને ભેજ જમા થવાની શક્યતા રહે છે. જેનાથી તોફાન વધુ ગંભીર થવા અને તેના જમીન સાથે ટકરાયા બાદ વિનાશ થવાની સંભાવના વધી જાય છે. 

અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. જ્યારે બહુ ગંભીર ચક્રવાતી તોફાન 150 ટકા વધ્યા છે. ભારતીય ઉષ્ણદેશીય મૌસમ વિજ્ઞાન સંસ્થામાં જળવાયુ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં ચક્રવાતી ગતિવિધિઓ વધવાનાને મહાસાગરોના તાપમાન વધવા અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિના પગલે ભેજપની વધતી ઉપલબ્ધતા સાથે ગાઢ સંબંધ છે. અરબ સાગર ઠંડો રહેતો હતો પરંતુ હવે તે ગરમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news