Day Nap Good Or Bad: સ્વસ્થ જીવન જીવવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, મોટાભાગના નિષ્ણાતો માને છે કે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક સૂવું જોઈએ. જો તમે ઓછી ઊંઘ લો, તો માત્ર મોટાપા જ નહીં, પરંતુ શરીરમાં અનેક સમસ્યા આવી શકે છે. ઘણી વખત એવું બને છે કે આપણને રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી અને તેની ભરપાઈ કરવા માટે આપણે દિવસ દરમિયાન પણ ઊંઘ લઈએ છીએ, આવું કરવું યોગ્ય છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શા માટે દિવસ દરમિયાન ઊંઘ સારી નથી?
આયુર્વેદિક પદ્ધતિ અનુસાર દિવસ દરમિયાન સૂવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી, જો કે, થાક, આળસ અને વધુ પડતી મહેનત પછી, આપણે પોતાને રોકી શકતા નથી, પછી બેડ, ખુરશી અથવા સોફા પર આરામથી સૂઈએ છીએ. રિસર્ચમાં સાબિત થયું છે કે દિવસ દરમિયાન સૂવાથી શરીરમાં કફ વધે છે. 10 થી 15 મિનિટની નિદ્રા લેવી ખરાબ નથી, પરંતુ દિવસ દરમિયાન ગાઢ ઊંઘ લેવાથી ખરાબ અસર થઈ શકે છે.


આ લોકો માટે દિવસ દરમિયાન સૂવું છે ખરાબ 
-જો તમારે ફિટ રહેવાની સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દિવસ દરમિયાન ઊંઘ ન લો.
-જે લોકો પેટ અને કમરની ચરબી ઘટાડવાનું વિચારી રહ્યા છે, તેમણે રાત્રે જ સૂવું જોઈએ.
-જે લોકો અતિશય તૈલી, ફ્રાઈડ ફુડ અથવા મેદાની વસ્તુઓ ખાય છે તેઓએ દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળવું જોઈએ.
-જે લોકો નિયમિત રીતે કપ વધવાને કારણે પરેશાન રહે છે, તેમણે પણ આ ન કરવું જોઈએ.
-ડાયાબિટીસ, હાઈપોથાઈરોઈડ અને PCOS રોગથી પીડિત લોકોએ પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.



આ પણ વાંચો
અંતરિક્ષમાં જવું હોય તો 6 કરોડ ખર્ચો, ઈસરોના પ્રમુખે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, દાંત થઈ જશે સફેદ


આ લોકો દિવસ દરમિયાન સૂઈ શકે છે
-જે લોકો મુસાફરીને કારણે ખૂબ થાકેલા હોય તેમના માટે દિવસ દરમિયાન સૂવું સારું છે.
-જેઓ ખૂબ જ પાતળા અને નબળા છે.
-જો કોઈ ગંભીર બીમારી અથવા સર્જરી પછી ડૉક્ટર તમને દિવસ દરમિયાન આરામ કરવાનું કહે છે, તો ચોક્કસપણે તેનું પાલન કરો.
-ચાઈલ્ડ ડિલિવરી બાદ મહિલાઓને પણ આરામની જરૂર હોય છે, તેમણે દિવસ દરમિયાન પણ સૂવું જોઈએ.
-10 વર્ષથી નીચેના અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો દિવસ દરમિયાન આરામ કરી શકે છે.


(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)



આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube