ભાજપના ત્રીજા ધારાસભ્ય બન્યા કોરોનાનો શિકાર, વિજલપુરના કિશોર ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ


અમદાવાદમાં અનેક ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 
 

ભાજપના ત્રીજા ધારાસભ્ય બન્યા કોરોનાનો શિકાર, વિજલપુરના કિશોર ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ

બ્રિજેશ દોષી/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ભાજપના ત્રીજા ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસિમ્પટોમેટિક હોવાથી તેમને ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ અને બલરામ થાવાણી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ
અમદાવાદમાં દરરોજ 250થી લઈને 300 સુધી કેસો નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે જ અમદાવાદમાં નવા 290 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અમદાવાદમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 13063 કેસ નોંધાયા છે. જેમાં 910 લોકોના મૃત્યુ થયા છે તો 8932 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news