ઝી બ્યુરો/અમદાવાદ: SVPI એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે પછીનો સમય ગુજરાત માટે જબરો ખતરનાક! આ સિસ્ટમ ગુજરાતમાં છપ્પર ફાડકે વરસાદ લાવશે



હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે.


પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, શું છે પ્રસાદની ખાસિયતો?



શિલ્પની પાછળ, ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે. 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવમાં આવી છે. તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે. અમદાવાદના વારસા અને વર્તમાનની તે ગાથા વર્ણવે છે.


આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી