નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ પ્રદર્શન (Farmers Protest) કરી રહેલા ખેડૂતોને દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર શરતો સાથે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે મંજૂરી મળ્યા બાદ હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના ટાઈમિંગ અને રૂટ ઉપર સવાલ ઉઠાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોએ કહ્યું કે શરતો સાથે રેલી મંજૂર નથી
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સુખવિન્દર સિંહ સભરાએ કહ્યું કે શરતો સાથે ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢવાની વાત અમને મંજૂર નથી. 12 વાગે રેલી કાઢવાનો કોઈ અર્થ નથી. આ સાથે જ તેમણે રૂટ અંગે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, 'ખેડૂતો ઓલ્ડ રિંગ રોડથી જવા માંગતા હતા. પરંતુ રેલીને જે વિસ્તારોમાંથી મંજૂરી આપવામાં આવી છે તેમાંથી મોટાભાગના હરિયાણાના હિસ્સા છે.'


New Farm Law મુદ્દે ખેડૂતે PM Modi ના માતા હીરાબાને લખ્યો અત્યંત ભાવુક પત્ર, વિગતો જાણીને આંસુ સરી પડશે


પોલીસે શરતી મંજૂરી આપી છે
દિલ્હી પોલીસે શરતો સાથે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ત્રણ રૂટ પર કાઢવાની મંજૂરી આપી છે. પહેલો રૂટ 62-63 કિલોમીટરનો હશે અને રેલી દિલ્હીના સિંઘુ બોર્ડર (Singhu Border) થી નીકળીને સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, કંજાવાલા, બવાના અને ચંડી બોર્ડર થઈને કેએમપી એક્સપ્રેસ પહોંચશે. બીજી રેલી ટિકરી બોર્ડરથી નીકળીને નાગલોઈ, નઝફગઢ અને જાડૌદા થઈને વેસ્ટર્ન પેરીફેરિયલ એક્સપ્રેસ વે સુધી જશે. જ્યારે ત્રીજા રૂટ પર ખેડૂતોની રેલી ગાઝીપુરથી નીકળીને અપ્સરા બોર્ડર, હાપુડ રોડ થઈને કેજીટી એક્સપ્રેસવે સુધી જશે. 


LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ, 20 ચીની સૈનિક ઘાયલ


61 દિવસથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન
નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) છેલ્લા 61 દિવસથી ચાલુ છે અને ખેડૂતો સતત ત્રણ કાયદાને રદ કરવાની  માગણી કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે એમએસપી માટે કાનૂની ગેરંટી આપવામાં આવે અને ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube