Black Rice Totke: કરિયરને મળશે રોકેટ જેવી ગતિ, પૈસાનો થશે વરસાદ, અપનાવો કાળા ચોખાના આ ઉપાય

Black Rice Totke: હંમેશા તમે જ્યોતિષ ઉપાયો માટે સફેદ અને પીળા ચોખાના ઉપયોગ વિશે વિચાર્યું હશે. પરંતુ કાળા ચોખાનો તંત્ર ક્રિયામાં પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કાળા ચોખાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપાય અપનાવવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને પ્રગતિનો નવા દ્રાર ખુલે છે. ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. 

1/5
image

કોઈપણ કુવામાં કાળા ચોખા નાખી દો. આમ કરવાથી ધન લાભનો યોગ બનવા લાગે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ ઉપાયથી કારોબારમાં નફો જોવા મળે છે. 

 

 

2/5
image

અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી માટે ખુબ મહેનત કરી પરંતુ કોઈ તક ન મળી રહી હોય તો શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને સરસવનું તેલ અને કાળા તલ મિક્સ કરી ચઢાવો. આ સાથે ॐ शं शनैश्चराय नम: નો જાપ કરો. તેનાથી તમને નોકરી મળશે. તો નોકરી કરનાર લોકોના જીવનમાં આવી રહેલી દરેક સમસ્યા દૂર થશે. 

 

 

3/5
image

લગ્નના ઘણા વર્ષો પસાર થઈ ગયા હોય અને ઘરે બાળકનું આગમન ન થયું હોય તો શનિવારના દિવસે તેલના દીવામાં કાળા ચોખા નાખી પ્રગટાવો અને તેને પીપળાના ઝાડ નીચે રાખો. તેનાથી સંતાન પ્રાપ્તિનો અવસર બને છે. 

 

 

4/5
image

જો તમે લાંબા સમયથી બીમારીથી પરેશાન છો અને છુટકારો મળી રહ્યો નથી. તેવામાં સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગમાં કાળા ચોખા, દૂધ અને પાણીને મિક્સ કરી ચઢાવો. ત્યારબાદ મીઠા ભોગ ધરાવો. આમ કરવાથી બીમારીથી છૂટકારો મળે છે. 

 

 

5/5
image

દાંપત્ય જીવનમાં ખુશી માટે કાળા ચોખાનો ઉપાય કરી શકાય છે. દાંપત્ય જીવનમાં હંમેશા વિવાદની સ્થિતિ બની રહે છે, જીવનસાથીની સાથે કોઈને કોઈ વાતને લઈને અણબનાવ રહે છે તો પાણીમાં કાળા ચોખા નાખી પીપળાના ઝાડને ચઢાવો. આમ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશી આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક સામાન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)