Good Luck Charm: 2023 શરૂ થતાં પહેલાં ઘરમાં લાવો આ લકી વસ્તુ, વર્ષભર થશે પૈસાનો વરસાદ!

Lucky Items for Home: નવું વર્ષ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. વર્ષ 2023 શરૂ થતાં પહેલા જો ઘરમાં કેટલીક શુભ વસ્તુ લાવો તો ઘર સકારાત્મકતાથી ભરાઈ જશે. તેનાથી ઘરમાં વર્ષભરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ રહેશે. ધર્મથી લઈને વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સુધીમાં આ વસ્તુને શુભ જણાવવામાં આવી  છે, કારણ કે આ શુભ પ્રતીક સમુદ્ર મંથનથી નિકળ્યા છે. ઘરમાં આ શુભ પ્રતીકો રહેવાથી ક્યારેય પૈસાની તંગી આવતી નથી. 
 

1/5
image

પારિજાતનું ફુલ- પારિજાતનું ઝાડ પણ સમુદ્ર મંથનથી નિકળ્યું હતું. ભગવાન વિષ્ણુને પારિજાતનું ફુલ ખુબ પ્રિય છે. જે ઘરોમાં પારિજાતનો છોડ કે ભગવાન વિષ્ણુંને પારિજાતનું ફુલ ચઢાવવામાં આવતું હોય, તે ઘરમાં હંમેશા ખુશી રહે છે. 

2/5
image

અમૃત કળશઃ સમુદ્ર મંથનમાં અમૃત કળશ પણ નિકળ્યો હતો, જેને મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. અંતમાં ભગવાન શ્રગરિએ મોહિનીનું રૂપ ધારણ કરી અને અમૃત કળશને અસુરોથી બચાવ્યો હતો. માન્યતા છે કે જે ઘરમાં અમૃત કળશની સ્થાપના કરવામાં આવે, ત્યાં ન તો કોઈ દુખ રહે છે અને પૈસાની કમી રહે છે. 

3/5
image

ઉચાઈ: શ્રવ ઘોડા - સમુદ્ર મંથનમાં ઉડતો ઘોડો પણ ઉચાઈ: શ્રવ ઘોડા તરીકે ઉભરી આવ્યો. આ સફેદ રંગના ઘોડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરમાં રાખવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

4/5
image

એરાવત હાથી- એરાવત હાથીને હાથીઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એરાવત હાથી સફેદ કલરનો હોય છે અને ઇંદ્ર દેવનું વાહન છે. એરાવત હાથીની મૂર્તિ ઘરમાં રાખવી સૌભાગ્ય, સુખ, વૈભવ આપે છે.   

5/5
image

પાંચજન્ય શંખઃ સમુદ્ર મંથનથી નિકળેલ 14 રત્નોમાં પાંચજન્ય શંખ પણ સામેલ છે. ભગવાન વિષ્ણુ પાંચજન્ય શંખ ધારણ કરે છે. ઘરના મંદિરમાં આ શંખનું હોવુ ખુબ સારૂ ફળ આપે છે. ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. ખુબ ધન-વૈભવ રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)