બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

નવી દિલ્લીઃ પહેલાંના સમયના વૃદ્ધો પાસેથી ઘણી એવી વાતો સાંભળવા મળે છે જે માનવી અત્યારની પેઢી માટે થોડી અઘરી છે. પહેલાના સમયના લોકોની માન્યતા મુજબ ઘણાં એવા કામ છે જેને કરવાથી બગડ઼ેલા કામો પણ પૂરા થઈ જાય છે. આવા કામોને શુકન કહેવામાં આવે છે જ્યારે કેટલાક એવા કામો પણ છે જેને આપણે ભૂલથી પણ ના કરવા જોઈએ. આવા કામો કરવાથી આપણા બનેલા કામ પણ બગડી જાય છે.
 

લોખંડ સાથે જોડાયેલું અપશુકન

1/5
image

એક જૂની માન્યતા છે કે જે ઘરોમાં નાના બાળકો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા જલદી પોતાનું વર્ચસ્વ જમાવે છે. તેવામાં તેમની પથારીની પાસે લોખંડથી બનેલી વસ્તુઓ રાખી જોઈએ જેથી નકારાત્મકતા તેમની આસપાસ પણ ભટકે નહી. ત્યાં જ કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરમાં રાખવી અપશુકન (Bad Omen) માનવામાં આવે છે.

 

 

 

 

 

WhatsApp ની જબરદસ્ત છે આ ટ્રિક, બીજાના મેસેજ વાંચી શકશો, કોઈને ખબર પણ નહીં પડે

નળમાંથી પાણીનું ટપકવું

2/5
image

એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં નળનું પાણી સતત ટપકતું રહે છે ત્યાં ધનને નુકસાન થાય છે. એટલે કે આર્થિક સમૃદ્ધિ પર અસર પહોંચે છે. આ સિવાય સવારે સવારે બાથરૂમમાં ખાલી ડોલ જોઈ લો તો એ પણ અપશુકન માનવામાં આવે છે. ખાલી ડોલ જોવાથી માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવામાં હંમેશા બાથરૂમમાં ડોલ ભરીને રાખવી જોઈએ.

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

સાંજે સાવરણીનો ઉપયોગ ન કરો

3/5
image

સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સાવરણી પર પગ મૂકવો અને સાંજના સમયે સાવરણીથી કચરો વાળતી ઘણું જ અશુભ (Bad Omen) માનવામાં આવે છે. સાવરણીને કોઈ પણ ખાલી જગ્યા પર રાખવાની જગ્યાએ હંમેશા કોઈ ખૂણામાં સંતાડીને જ રાખવી જોઈએ. જેનાથી એના પર ભૂલથી પણ પગ ના પડી જાય.

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

ઘરમાં તૂટેલો કાચ ના રાખો

4/5
image

વાસ્ત્રુશાસ્ત્રમાં અરિસો અથવા કાચની કોઈ તૂટેલી વસ્તુ રાખવી ખૂબ જ મોટુ અપશુકન(Bad Omen) માનવામાં આવે છે. તૂટેલા અરિસામાં જોઈને ક્યારેય પણ તૈયાર થવું ન જોઈએ. આ સિવાય એક વર્ષથી નાના બાળકને પણ અરિસામાં તેનો ચહેરો બતાડવો અપશુકન માનવામાં આવે છે. ઘરના ખૂણામાં કાંચના તૂટેલા ટુકડાને રાખવો પણ અશુભ માનવામાં આવે છે.

 

 

 

 

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

બિલાડી અથવા કૂતરાનું રડવું સારું નહીં

5/5
image

ઘરમાં કૂતરા અથવા તો બિલાડીઓના રડવા પર અથવા બંનેના ઝઘડવાને બિલકુલ શુભ (Bad Omen)  માનવામાં નથી આવતું. જો ઘરની આસપાસ કૂતરા અથવા બિલાડી રડતી દેખાય તો તેને અપ્રિય ઘટના બનવાના સંકેત માનવામાં આવે છે. બિલાડી તમારો રસ્તો કાપીને જાય તો તે પણ અપશુકન ગણાવામાં આવતું હોય છે.

 

 

 

 

 

 

 

ક્યાંક તમે પણ નથી ને Insomnia ના શિકાર? જલ્દી થઈ શકે છે મોત, સ્ટડીમાં થયો મોટો ખુલાસો