Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર જે પ્રકારે દેશભરમાં ફેલાઇ રહી છે તેના લીધે લોકોમાં ડરનો માહોલ છે. એટલા માટે જ લોકો સંક્રમણથી બચવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. કોઇ ઇમ્યૂનિટી વધારી રહ્યા છે તો કોઇ ડબલ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓ જે હોમ આઇસોલેશનમાં છે તે કેટલીક એવી ભૂલો કરી રહ્યા છે જેથી તેમની સમસ્યા વધી શકે છે અને જીવલેણ પણ થઇ શકે છે. 

પોતાના મનથી પેનકિલર અને એંટિબાયોટિક લેવી

1/6
image

કોરોનાથી સંક્રમિત થયા બાદ લક્ષણ ગંભીર ન થઇ જાય તેનાથી બચવા માટે ઘણૅઅ દર્દી ડોક્ટરની સલાહ વિના પેનકિલર અને એંટીબાયોટિક દવાઓ લઇ રહ્યા છે. આમ ભૂલથી પણ ન કરો નહીતર જીવલેણ સાબિત થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો કોવિડ 19ની કોઇ નક્કર સારવાર નથી અને ડોક્ટર હોમ આઇસોલેશનવાળા દર્દીઓને જે દવા આપી રહ્યા છે તે ફક્ત રિકવર થવાના લક્ષણોને રોકવાને રોકવા માટે છે. એટલા માટે ડોક્ટરની સલાહ વિના પોતાના મનથી દવા ન લો.

એંટીબાયોટિક નથી કારગર

2/6
image

જોકે કોવિડ 19 એક વાયરલ બિમારી છે એટલા માટે તેમાં એંટીબાયોટિક દવા કોઇ કામ નહી કરે કારણ કે એંટીબાયોટિક ફક્ત બેક્ટેરિયાથી થનાર બિમારીમાં કામ કરે છે. જોકે એંટીબાયોટિક ન લે. સાથે જ જાતે જ વાયરસને દૂર કરવા માટે એંટીબાયોટિકલ સાબુ યોઝ કરવાના બદલે આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.  

કઇ દવા ડોક્ટર આપે છે

3/6
image

હોમ આઇસોલેશનમાં રહેનાર દર્દીઓની સલાહ પર તાવ અને માથાના દુખાવામાંથી રાહત આપવા માટે પેરાસિટામોલ અને આઇબ્રૂપ્રોફેન જેવી દવાઓ લઇ શકો છો. તો બીજી તરફ કોરોનાના લીધે થઇ રહેલી ખાંસીમાંથી રાહત મેળવવા માટે કફ સિરપ લઇ શકો છો પરંતુ ડોક્ટરથી પૂછ્યા વિના ન લો. 

ઘરેલૂ નુસખા અપનાવો

4/6
image

ગળામાં ખરાશ થઇ હોય તો દવા ખાવાના બદલે સામાન્ય નવસેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો, મધ અને આદુ પણ લઇ શકો છો. આ પણ ગળામાં ખરાશની સમસ્યા ઠીક કરવામાં ફાયદાકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે શરીર ઇંફેક્શનથી ઝઝૂમી રહ્યું હોય તો ઇમ્યુનિટી વધારવાની જરૂરી છે. એટલા માટે શરીરમાં પાણી ઉણપ ન થવા દો. એવામાં ફળ ખાવ જેમાં પાણી હોય, તરબૂચ, કાકડી અને ફાઇબરવાળી વસ્તુઓ ખાવ. 

તમારા મનથી આયુર્વેદિક ઉપચાર ન કરો

5/6
image

કોરોનાથી બચવા માટે ઘણા બધા લોકો હાલ ઘણા આયુર્વેદિક અને પારંપારિક દવાઓનું સેવાન કરી રહ્યા છે. કોઇપણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પૂછ્યા વિના પોતાના મનથી કોઇપણ દવા ન લો. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ પડી શકે છે. 

ખાવા પીવાની આદત પણ બદલો

6/6
image

મોટાભાગે કેલરીવાળી, સેચુરેટેડ ફેટ અને વધુ ખાંડવાળી વસ્તુઓ બિલકુલ ન ખાવ. વજન વધી ગયું તો સંક્રમણ્નો ખતરો વધી જાય છે. એટલા માટે ફાઇબરથી ભરપૂર સ્વસ્થ અને સંતુલિત ભોજન કરો. તાજા ફળ અને શાકભાજી, જ્યૂસ વગેરે પીઓ. 

(નોંધ: કોઇપણ ઉપાયને કરતાં પહેલાં હંમેશા કોઇપણ વિશેષજ્ઞ અથવા ચિકિત્સક સાથે ચર્ચા કરો. Zee News આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)