Vaccine નો પહેલો ડોઝ લગાવ્યા પછી પણ થઈ જાય કોરોના, તો આ વાતનું ખાસ ધ્યાન રાખો

નવી દિલ્લી: કોવિડ-19ને રોકવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અને તે અંતર્ગત અત્યાર સુધી 16.48 કરોડથી વધારે લોકોને ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ રસી લગાવ્યા પછી પણ લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં અહીંયા અમે તમને બતાવીશું કે પહેલો ડોઝ લગાવ્યા પછી કોરોના સંક્રમણ થાય તો કઈ-કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
 

દરેક સ્થિતિમાં કરો પ્રોટોકોલનું પાલન કરો:

1/6
image

રસીનો પહેલો ડોઝ લીધા પછી કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂર કરો. એટલે કે થોડાક દિવસ સુધી આલ્કોહોલ અને બીડી-સિગારેટ વગેરેનું સેવન ન કરો.

આથી જરૂરી છે ગેપ:

2/6
image

સ્ટીરોઈડ કે પ્લાઝમા લેવા પર 90 દિવસ રોકાવાની સલાહ એટલા માટે આપવામાં આવી છે. કેમ કે તેનાથી શરીરમાં જે એન્ટીબોડી બનાવે છે, તે પોતાનું કામ કરી શકે.

સ્ટીરોઈડ કે પ્લાઝમા લીધું હોય તો 90 દિવસ રોકાવ:

3/6
image

ડોક્ટરોનું કહેવું છે કે પહેલો ડોઝ લીધા પછી સંક્રમણમાં સ્થિતિ ગંભીર થાય છે. અને દર્દીને સ્ટીરોઈડ આપવું પડે છે. કે પછી પ્લાઝમા ચઢાવવું પડે છે. આવી સ્થિતિમાં બીજા ડોઝ માટે 90 દિવસ રોકાઈ જવું જોઈએ.

15 દિવસનું આઈસોલેશન જરૂરી:

4/6
image

જો સંક્રમિત થયા પહેલાં હળવા લક્ષણ આવ્યા હોય અને ઘર પર રહીને સામાન્ય દવાઓ લેવામાં આવી તો 15 દિવસનું હોમ આઈસોલેશન પૂરું થવા પર બીજો ડોઝ લગાવી શકે છે.

લક્ષણો પર ધ્યાન આપો:

5/6
image

રસીનો બીજો ડોઝ લગાવતાં પહેલાં એ પણ જોવું જરૂરી છે કે તમને કોરોના વાયરસથી સંક્રમિત થવા પર હળવા લક્ષણ આવ્યા હતા કે પછી સ્થિતિ ગંભીર હતી.

કોરોના પોઝિટિવ હોય તો:

6/6
image

આમ તો સરકાર વેક્સીનના બે ડોઝ લેવાની વચ્ચેનો ગેપ વધારવા પર વિચાર કરી રહી છે. અને તેના પર કમિટી આગામી અઠવાડિયા સુધી નિર્ણય લઈ શકે છે. જ્યારે બે ડોઝની વચ્ચે કોરોના સંક્રમિત થવા પર નેગેટિવ રિપોર્ટ આવવાના 15 દિવસ પછી જ વેક્સીનનો બીજો ડોઝ લગાવડાવો.