હાર્ટની બીમારીથી બચવા માટે આ છે સરળ ઉપાય, જાણો એક ક્લિકે...

મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે.

નવી દિલ્હી: દોડભાગ ભરેલી વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય પોતાના માટે સમય કાઢી વેકેશનની મજા પણ માણવી જોઇએ. કેમ કે, આ વેકેશનની મદદથી તમે ના માત્ર પોતાના સ્ટ્રેસથી તો દુર રહો છો પરંતુ સાથે સાથે તેનાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે અને જેના કારણે તમે સ્વસ્થ રહો છો.

હાર્ટની બીમારીઓનો ખતરો થયા છે ઓછો

1/3
image

મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશનથી મેટાબૉલિઝમ સંબંધીત લક્ષણો ઓછા કરવામાં મદદગાર સાબિત થયા છે. જેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.

મેટાબૉલિઝમ સિંડ્રોમનું જોખમ થાય છે ઓછું

2/3
image

અમેરીકામાં સ્થિત સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયના સહાયક પ્રોફેસર બ્રાયસ હ્ય્રૂસ્કાએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓએ ગત 12 મહિનામાં ઘણી વખત રજાઓ લીધી છે. તેમનામાં મેટાબૉલિઝમ સિંડ્રોમ અને મેટાબૉલિઝમના લક્ષણોનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે.

મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓનો એક સંગ્રહ છે

3/3
image

તેમણે વધુમાં જણાવ્યું કે, મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે. આ મહત્વપૂર્ણ છે કે, આપણે વાસ્તવિકમાં એવું જોયું છે કે, મનુષ્ય ઘણી વખત વેકેશન પર જાય છે. ત્યારે મેટાબૉલિઝમ સિંડ્રોમથી તેમને થતી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો જોવા મળે છે. કેમ કે, મેટાબૉલિઝમ સંબંધિત લક્ષણો પરિવર્તનીય છે એટલે કે, તેને બદલી શકાય છે અથવા તો તેને નષ્ટ કરી શકાય છે. (ઇનપુટ: IANS)