પિતાને વેચવી પડી ઘરની બધી જ સંપત્તિ, ચલાવવી પડી રિક્ષા, જેથી પુત્ર બની શકે IAS

IAS Govind Jaiswal Success Story: આજે અમે તમને એક એવા આઇએએસ ઓફિસરની સફળતાની કહાની જણાવીશું, જેની સફળતા તેમના પિતાના બલિદાન વિના અધૂરી છે. પિતાએ પુત્રને IAS બનાવવા માટે ઘરની તમામ સંપત્તિ વેચી નાખી અને સાથે જ રસ્તા પર રિક્ષા પણ ચલાવવા લાગ્યા. 

પુત્રને IAS બનાવવા માટે ઘરની તમામ વેચી દીધી મિલકત

1/5
image

દર વર્ષે લાખો ઉમેદવારો UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે, પરંતુ તેમાંથી માત્ર કેટલાક જ આ પરીક્ષામાં સફળ થાય છે અને ઓફિસરનું પદ મેળવી શકે છે. આજે અમે તમને એક એવા ઉમેદવાર વિશે જણાવીશું જેને IAS બનવા માટે પિતાને પોતાની બધી સંપત્તિ વેચવી પડી હતી. એટલું જ નહી સ્થિતિ એવી આવી કે પિતાને રિક્ષા ચલાવવી પડી. જો કે, પુત્રએ પણ તેના પિતાના આ બલિદાનને વ્યર્થ ન જવા દીધું અને આખરે પ્રથમ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યો.

પુત્રએ વ્યર્થ ન જવા દીધું પિતાનું બલિદાન

2/5
image

જોકે અમે IAS ઓફિસર ગોવિંદ જયસ્વાલ (IAS Officer Govind Jaiswal) ની વાત કરી રહ્યા છીએ, જેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. ગોવિંદ જયસ્વાલે 48મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો, ત્યાર બાદ તેમને IAS પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય તમને જણાવી દઈએ કે IAS ગોવિંદ જયસ્વાલે આ પરીક્ષા માટે ફિલ્મ "અબ દિલ્લી દૂર નહીં" થી પ્રેરણા લીધી હતી.

પિતાએ પણ પુત્રની સફળતા માટે કરી હતી સખત મહેનત

3/5
image

કોઈએ સાચું જ કહ્યું છે કે બાળકની સિદ્ધિઓ ઘણીવાર તેના માતાપિતાની મહેનતનું પરિણામ હોય છે. IAS ગોવિંદ જયસ્વાલની સફળતામાં તેમના પિતાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે ગોવિંદને તેની સફળતાના બીજ તૈયાર કરવામાં મદદ કરી. ગોવિંદની ઈચ્છા પૂરી કરવા માટે તેમના પિતા નારાયણે શક્ય તેટલી મહેનત કરી.

ખૂબ જ જલદી છૂટી ગયો માતાનો સાથ

4/5
image

તમને જણાવી દઈએ કે તેમનો આખો પરિવાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતો હતો. વર્ષ 1995માં ગોવિંદના પિતા નારાયણ પાસે 35 રિક્ષાઓ હતી, પરંતુ પત્નીની ખરાબ તબિયતને કારણે તેમણે તેમાંથી 20 રિક્ષાઓ વેચવી પડી હતી. જો કે, તે તેમની પત્નીને બચાવી શક્યા ન હતા, તેમનું 1995 માં મૃત્યુ થયું હતું. જ્યારે ગોવિંદ વર્ષ 2004-05માં UPSCની તૈયારી માટે દિલ્હીમાં અભ્યાસ કરવા માંગતો હતો, ત્યારે તેની પાસે પૂરતા પૈસા નહોતા.

પુત્ર IAS બની શકે તે માટે પિતા બન્યા રિક્ષાચાલક

5/5
image

જો કે પુત્રના આ સપનાને સાકાર કરવા પિતા નારાયણ જયસ્વાલે અન્ય 14 રિક્ષાઓ પણ વેચી દીધી હતી. તેની પાસે માત્ર એક જ રિક્ષા બચી હતી, જે તેણે જાતે ચલાવવાનું શરૂ કર્યું. પોતાના પુત્રને IAS બનાવવા માટે ગોવિંદના પિતા રિક્ષાચાલક પણ બની ગયા હતા. તેથી, પગની સમસ્યાથી પીડાતા હોવા છતાં, ગોવિંદે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ગોવિંદે ખંતથી અભ્યાસ કર્યો અને વર્ષ 2006માં UPSCના પ્રથમ પ્રયાસમાં 48મો રેન્ક મેળવીને IAS બબની ગયા.