Job Promotion Tips: તમારે પણ નોકરીમાં જોઈએ ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન? કરી લો આ 5 ઉપાય, આશા કરતા વધુ મળશે ફળ

Naukri Mein Promotion ke Upay: એપ્રિલનો મહિનો પૂરો થવાનો છે. નોકરી કરનાર લોકો પોતાના એપ્રેઝલ લેટરની રાહ જોઈ રહ્યાં છે. દરેક ઈચ્છે છે કે તેને સારા ઈન્ક્રીમેન્ટની સાથે પ્રમોશન પણ મળે. પરંતુ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી. કુંડળીમાં કેટલાક દોષને કારણે તેની પ્રગતિના માર્ગમાં અવરોધ આવે છે. આજે અમે તમને એવી કેટલીક જ્યોતિષ ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેને અપનાવવાથી તમારા યોગ બદલાઈ શકે છે. 
 

શનિ મંદિરમાં દીવો પ્રગટાવો

1/5
image

નોકરીમાં ઈન્સ્કીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે જાતકે દર શનિવારે શનિ મંદિર જઈને દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે ત્યાં બેસી શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિના દુષ્પ્રભાવ ઓછા થવા લાગે છે. 

 

 

દરરોજ સૂર્યને અર્પણ કરો અર્ધ્ય

2/5
image

નોકરીમાં સફળતા માટે દરરોજ સવારે ઉઠીને સૂર્ય દેવને અર્ધ્ય આપવું જોઈએ. સાથે સૂર્ય મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 

 

 

રાહુ-કેતુના દોષોથી મુક્તિનો ઉપાય

3/5
image

નોકરીમાં પ્રમોશન માટે  (Job Increment and Promotion Tips) કોઈ મંદિરમાં જઈને નવગ્રહ અભિષેક કરાવવો જોઈએ. આમ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે. સાથે કુંડળીના દોષ પણ દૂર થાય છે. 

 

 

દશમ ભાવના સ્વામી મંત્રોનો કરો જાપ

4/5
image

નોકરીમાં સફળ થવા માટે જાતક પોતાની જન્મ કુંડળીના દશ્મ ભાવના સ્વામી મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી સફળતાના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થવા લાગે છે. 

 

 

કારોબારમાં વૃદ્ધિ માટે કરો આ કામ

5/5
image

તમે ખુદનો ધંધો કરી રહ્યાં છો તો વધુ નફો મેળવવા માટે તમારા કાર્યસ્થળ પર વેપાર વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરો. આમ કરવાથી હાનિ ખતમ થઈ નફો થવા લાગે છે.