Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?

Pradhanmantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર તરફથી સોલાર પેનલને લઇને એક યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકાર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપશે. 

1/7
image

છેલ્લા કેટલાક દિવસોથી સોલાર પેનલ અને મફત વીજળી જેવા શબ્દો ખૂબ ચર્ચામાં છે, કેન્દ્ર સરકારથી લઈને દિલ્હી સરકાર સુધી અલગ-અલગ યોજનાઓની જાહેરાત કરી છે.

2/7
image

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે.

3/7
image

સરકાર રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે 60 ટકા સુધીની સબસિડી આપી રહી છે.

4/7
image

હવે કેટલાક લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે તેઓ પોતાના કેટલાક પૈસા રોકીને સોલાર પેનલ લગાવે, પરંતુ તેની સર્વિસિંગનું શું થશે અને તે કેટલા વર્ષ ચાલશે.

5/7
image

સામાન્ય રીતે સોલાર પેનલનું આયુષ્ય લગભગ 20 થી 25 વર્ષ જેટલું હોય છે. એટલે કે તમારે માત્ર એક જ વાર પૈસા ખર્ચવા પડશે અને આટલા વર્ષો સુધી મફત વીજળી મેળવી શકશો.

6/7
image

હવે સર્વિસિંગ અંગે, તમામ મોટી કંપનીઓ તેના ઇન્સ્ટોલેશન પછીના ઘણા વર્ષો સુધી તેની સર્વિસિંગની ખાતરી આપે છે.

7/7
image

આનો અર્થ એ છે કે એકવાર તમે સોલાર પેનલ પર ખર્ચ કરી લો, તો તમારે તેના જાળવણી પર વધુ પૈસા ખર્ચવા પડશે નહીં, સામાન્ય રીતે સોલર પેનલ ખરાબ થતી નથી. તેમની બેટરીનું ધ્યાન રાખવું પડશે.