1 વર્ષ બાદ સૂર્ય અને ચંદ્રએ બનાવ્યો નવપંચમ યોગ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Surya Chandra Navpancham Yog: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને ચંદ્રએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
 

નવપંચમ યોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી રાજયોગ અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 17 જુલાઈ એટલે કે આજે ચંદ્રમા મંગળ ગ્રહની રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યાં છે અને સૂર્ય તથા ચંદ્રમા એકબીજાથી નવમાં અને પાંચમાં ભાવમાં હાજર રહેશે, જેનાથી નવ પંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તેની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.   

વૃષભ રાશિ

2/5
image

તમારા લોકો માટે નવપંચમ યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાકન ધનલાભ થઈ શકે છે. સાથે વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં કોઈ જગ્યાએ પ્રવેશ લેવા ઈચ્છો છો તો સફળતા મળશે. આ સમયે નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. સાથે કરિયરમાં તમને તમારા કામથી સંતુષ્ટિ અને આરામ મળશે. વેપારમાં ઉત્પાદન વધશે અને નફો પણ. આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. સાથે જે લોકો બેરોજગાર છે તેને નવી નોકરી મળી શકે છે. 

સિંહ રાશિ

3/5
image

નવપંચમ યોગ બનવાથી તમારા લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે નોકરીમાં ફેરફાર કે સ્થાન પરિવર્તનનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે જે લોકો વેપાર કરે છે, તેને સારી સફળતા મળી શકે છે. તમને નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો લાભ થશે. આ દરમિયાન તમારી અંદર આત્મવિશ્વાસ સારો રહેશે. આ સમયે પરિવારના સભ્યોનો સહયોગ પણ તમને મળવાનો છે.

ધન રાશિ

4/5
image

તમારા લોકો માટે નવપંચમ યોગ શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. આ સમે તમારા ભૌતિક સુખમાં વધારો થશે. તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે આર્થિક રીતે આ સમય તમારા માટે શુભ રહેશે. તમે સારી કમાણી કરવાની સાથે બચત પણ કરશો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. આ સમયે તમારી કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.