5 વર્ષ બાદ કર્કમાં ભેગા થશે અત્યંત પાવરફૂલ 2 ગ્રહ, 3 રાશિવાળાને ઊંચાઈ પર લઈ જશે, ધન તથા પદ-પ્રતિષ્ઠા વધશે

આ બંને ગ્રહોની યુતિ કર્ક રાશિમાં બનશે. જેનાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
 

1/4
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે જુલાઈમાં ગ્રહોના રાજા સૂર્ય અને ધનના દાતા શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવામાં આ બંને ગ્રહોની યુતિ કર્ક રાશિમાં બનશે. જેનાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

કર્ક રાશિ

2/4
image

કર્ક રાશિવાળા માટે શુક્ર અને સૂર્યની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારા રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. આથી આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી બુદ્ધિ અને કૌશલનું સ્તર વધશે અને તમને વધારાનું ધન કમાવવાની તક મળશે. આ સમય દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થઈ શકશે. પરણેલા લોકોનું લગ્નજીવન ખુશનુમા રહેશે. કૌટુંબિક અને લગ્ન જીવન સારું રહેશે. અધૂરા કાર્યો પૂરા થશે. પાર્ટનરશિપમાં લાભ થશે.   

કન્યા રાશિ

3/4
image

શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ કન્યા રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાને થઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત બની શકે છે. કારોબાર અને શેર બજારથી તમને સારો એવો લાભ થઈ શકે છે. લગ્ન જીવનમાં જો અણબનાવ હોય તો આ સમયગાળામાં તે ખતમ થઈ જશે અને સંતાનથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. રોકાણથી લાભના યોગ છે. 

તુલા રાશિ

4/4
image

તુલા રાશિવાળા માટે શુક્ર અને સૂર્યની યુતિ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી  રાશિથી કર્મ ભાવ પર થવા જઈ રહી છે. આ દરમિયાન તમને કામ કાજમાં ખાસ પ્રગતિ થઈ શકે છે. નોકરીયાતો આ સમય દરમિયાન ફક્ત પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કરિયરને આગળ વધારશે. એટલે કે જૂનિયર અને સીનિયરનો સાથ મળશે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. જો તમે વેપારી હોવ તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)