Surya Grahan 2023: વર્ષનું બીજુ સૂર્યગ્રહણ મુશ્કેલી લાવશે, આ 5 રાશિના જાતકો રહે સાવધાન

Surya Grahan 2023 Date: હિન્દુ ધર્મમાં ગ્રહણોનું ખુબ મહત્વ છે. વર્ષ 2023નું બીજુ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર શનિવારના દિવસે લાગશે. આ દિવસે આસો મહિનાની અમાસ છે. આ ગ્રહણની જ્યાં કેટલાક જાતકો પર સકારાત્મક અસર પડશે, તો કેટલીક રાશિના જાતકો માટે ગ્રહણ અશુભ સમાચાર લાવશે. 
 

1/5
image

મેષ રાશિના જાતકો માટે બીજુ સૂર્ય ગ્રહણ મુશ્કેલી ભર્યું હોઈ શકે છે. આ દરમિયાન તેની સાથે કોઈ દગો કરી શકે છે. નોકરીમાં નવા પડકારનો સામનો કરવો પડી શકે છે. 

 

 

2/5
image

વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિના જાતકોનું બજેટ બગાડી શકે છે. આ દરમિયાન ધન હાનિનો યોગ બનશે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ રાશિના જાતકોના માન-સન્માનને નુકસાન થઈ શકે છે. આત્મવિશ્વાસમાં કમી જોવા મળશે. 

આ પણ વાંચોઃ 30 મેથી મંગળ-શુક્રની યુતિ,  અચાનક જાગી જશે આ પાંચ રાશિનું ઊંઘી ગયેલું ભાગ્ય

3/5
image

સિંહ રાશિના જાતકો માટે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ અનુકૂળ રહેશે નહીં. આ રાશિના લોકોએ માનહાનિનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે નુકસાન ઉઠાવવું પડી શકે છે. રોકાણ માટે સારો સમય નથી, એટલે થોડા સમય માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળી દેવું. 

 

 

4/5
image

કન્યા રાશિના જાતકો માટે પણ સૂર્ય ગ્રહણ અશુભ સમાચાર લઈને આવશે. આ દરમિયાન આર્થિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

આ પણ વાંચોઃ ષડાષ્ટક યોગઃ મંગળના ગોચરથી આ રાશિઓ માટે બની રહ્યો છે ખતરનાક યોગ!

 

 

5/5
image

સૂર્ય ગ્રહણનો અશુભ પ્રભાવ તુલા રાશિના જાતકો પર પણ પડશે. માનસિક સ્થિતિ ખરાબ રહેશે, જેનાથી કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. આર્થિક રીતે નુકસાન પહોંચી શકે છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો)