Ganesh Chaturthi 2023: રાશિને અનુકૂળ ગણેશ મૂર્તિની કરો ઘરમાં સ્થાપના, મનોકામના વિધ્નહર્તા તુરંત કરશે પુરી

Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થી પર ભક્તો તેમની પૂજા ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર અને મંગળવારથી ગણેશોત્સવ શરૂ થશે. જે 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના રાશિ પ્રમાણે કરવામાં આવે તો તેમની પૂજાનું શીઘ્ર ફળ મળે છે.  તો જાણો મેષથી મીન સુધીની રાશિના લોકોએ ઘરમાં કયા રંગની મૂર્તિની સ્થાપિત કરવી જોઈએ. 

મેષ રાશિ

1/12
image

આ રાશિના લોકો ઘરે ગણપતિની ગુલાબી અથવા લાલ મૂર્તિ લાવવી જોઈએ છે. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપાથી જીવનના દુ:ખોનો નાશ થશે.

વૃષભ રાશિ

2/12
image

વૃષભ રાશિના લોકોએ આછા પીળા રંગની ભગવાન ગણેશની મુર્તિ ઘરે લાવી અને તેમને મોદક ચઢાવવા જોઈએ. તેનાથી ઘર અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

મિથુન રાશિ

3/12
image

આછા લીલા રંગની ગણેશની મૂર્તિ લાવો અને મોદક ચઢાવો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા અને અવરોધો દૂર થશે.

કર્ક રાશિ  

4/12
image

ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવો અને મોતીચૂરના લાડુ ચઢાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરીમાં પ્રગતિ થશે.

સિંહ રાશિ 

5/12
image

આ રાશિના લોકોએ સિંદૂરી રંગના ગણેશજીને લાવીને તેની સ્થાપના કરવી જોઈએ અને બૂંદીના લાડુ ચઢાવવા જોઈએ. 

કન્યા રાશિ 

6/12
image

આ રાશિના લોકોએ લીલા રંગની ગણેશ મૂર્તિ લાવવી જોઈએ અને પ્રસાદમાં લાડુ ચઢાવવા તેનાથી ધંધામાં વધુ ફાયદો થશે.

તુલા રાશિ

7/12
image

ઘરે સુંદર સજાવટ કરી અને ચમકતા સિલ્વર રંગની મૂર્તિ ઘરે લાવવી. ગણેશજીને મોદક અને રસ મલાઈ અર્પણ કરવા.

વૃશ્ચિક રાશિ

8/12
image

ભગવાન ગણેશની એવી મૂર્તિ લેવી જેમાં તેમણે લાલ અથવા સફેદ ધોતી પહેરી હોય. અને તેમના હાથમાં લાલ કમળ હોય.  

ધન રાશિ

9/12
image

જે મૂર્તિમાં પીળા અને કેસરી રંગનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે હોય તેવી મૂર્તિ ઘરમાં લાવવી. 

મકર રાશિ

10/12
image

કોઈપણ ઘેરા રંગની ગણેશ મૂર્તિ ઘરે લાવો. તેમને દરરોજ અપરાજિતા ફૂલોથી શણગારો. ઘરમાં આવેલી અડચણો દૂર થશે. 

કુંભ રાશિ

11/12
image

આ રાશિના જાતકોએ એવી મૂર્તિ લાવવી જોઈએ જેમાં ભગવાન ગણેશ ઊભા હોય અને તેમણે વાદળી રંગનો ખેસ અથવા ધોતી પહેરી હોય.

મીન રાશિ

12/12
image

આ રાશિના લોકોએ ગણેશજીની માટીથી ઘરમાં બનાવેલી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને ભગવાન ગણેશને દરરોજ દુર્વા અર્પણ કરવી જોઈએ. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)