NPS vs APY: આ બંને પેન્શન સ્કીમમાં શું છે અંતર? લેતાં પહેલાં જાણી લો A to Z માહિતી

NPS vs APY: જો તમે પણ પેન્શન સ્કીમ લેવા માંગો છો, તો આજે અમે તમને 2 સૌથી પ્રખ્યાત પેન્શન સ્કીમ વિશે જણાવીશું અને તેમની વચ્ચે શું તફાવત છે. તમને જણાવી દઈએ કે NPS અને અટલ પેન્શન યોજના બંનેને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આજે અમે તમને જણાવીશું કે આ બંને વચ્ચે શું તફાવત છે?

કોણ કઈ યોજનામાં રોકાણ કરી શકો છે?

1/4
image

ભારતના રહેવાસીઓની સાથે NRIs પણ NPS પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકે છે. તો બીજી તરફ, ફક્ત ભારતમાં રહેતા લોકો જ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકે છે.  

કેટલું મળે છે રિટર્ન?

2/4
image

NPS માં રોકાણ કરાયેલા નાણાં ડેટ અને ઇક્વિટી બંનેમાં રોકાણ કરવામાં આવે છે, જેના કારણે તેનું વળતર બજાર પર નિર્ભર છે. જ્યારે, અટલ પેન્શન યોજનામાં, 8 ટકાના દરે નિશ્ચિત વળતર ઉપલબ્ધ છે.

કેટલો મળે છે ટેક્સ બેનિફિટ?

3/4
image

NPS હેઠળ, તમે 2 લાખ રૂપિયા સુધીનો કર લાભ મેળવી શકો છો, જ્યારે APY હેઠળ કરેલા યોગદાન પર આવો કોઈ લાભ ઉપલબ્ધ નથી.

મિનિમમ અને મેક્સિમમ રોકાણ

4/4
image

એનપીએસમાં લઘુત્તમ રોકાણ રૂ. 500 અને મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. તો બીજી તરફ અટલ પેન્શન યોજનામાં, ગ્રાહકો લઘુત્તમ 1000-5000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે દર મહિને ઓછામાં ઓછા 42 રૂપિયાથી વધુમાં વધુ 1,454 રૂપિયાનું રોકાણ કરી શકે છે.