હર્ષદ પટેલ News

રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો
ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ચોતરફ હાહાકાર છે. સામાન્ય નાગરિક પરેશાન છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાનાં કારણે પરેશાન છે. તેવામાં રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં સબ સલામત હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવે વરસાદની સંભાવના ઓછી છે. સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધી ઓછો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 120 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 255 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તરગુજરાતમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક 172 તાલુકા માં વરસાદ નોંધાયો છે. 5 તાલુકા માં 2 ઇંચ થી વધુ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમ 81 ટકા જળ સંગ્રહ થયો હોવાનું જણાવ્યું હતું. 
Sep 1,2020, 22:49 PM IST

Trending news