Budget 2022 : મોદી રાજમાં તૂટી બજેટ સાથે જોડાયેલી આ 5 પરંપરા, કેટલીક તો અંગ્રેજોના જમાનાથી ચાલતી હતી

Budget 2022 : વડાપ્રધાન મોદીએ 2014થી દેશની જવાબદારી સંભાળી છે. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે ઘણી વિવિધ પ્રકારની પરંપરાઓ બદલી છે. આવી જ કેટલીક પરંપરાઓ કેન્દ્રીય બજેટ (Union Budget) સાથે જોડાયેલી છે, જેને પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન પણ બદલવામાં આવી હતી. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટની બદલાયેલી પરંપરાઓ વિશે વાત કરીએ.

બજેટ રજૂ થવાની તારીખ

1/5
image

અંગ્રેજોના સમયથી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ હવે તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. વર્ષ 2017માં પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ ફેરફારનું કારણ એ હતું કે બજેટ સંબંધિત તમામ પ્રક્રિયાઓ નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા પૂર્ણ કરી લેવી જોઈએ.

સામાન્ય બજેટનો ભાગ બન્યું રેલ બજેટ

2/5
image

અગાઉ રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 2016માં 1924થી ચાલી આવતી આ પરંપરા બદલાઈ ગઈ. અગાઉ તેને સામાન્ય બજેટ પહેલા સંસદમાં રાખવામાં આવતું હતું. પરંતુ 2016 થી રેલવે બજેટ પણ યુનિયન બજેટનો જ એક ભાગ હોય છે.

બ્રીફકેસથી ટેબ્લેટ સુધીની સફર

3/5
image

આઝાદ ભારતમાં પ્રથમ વખત 1947માં  પહેલીવાર નાણામંત્રી આરસીકેએસ ચેટ્ટીએ બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની બ્રીફકેસમાં દસ્તાવેજો લઈને સંસદ પહોંચ્યા. પરંતુ 5 જુલાઈ, 2019 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ લાલ કાપડના પોટકામાં બજેટ પેપર્સ લઈને પહોંચ્યા. કોરોના મહામારીને કારણે તે 2021માં ટેબલેટ લઈને આવ્યા હતા, તે ડિજિટલ બજેટ હતું.

ખતમ થઇ પંચવર્ષીય યોજનાઓ

4/5
image

મોદી સરકારે  2015 માં આયોજન પંચને નાબૂદ કરી અને નીતિ આયોગની રચના કરી. આ સાથે જ દેશમાં બની રહેલી પંચવર્ષીય યોજનાઓનો પણ અંત આવ્યો. આ યોજનાઓ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સમયથી ચાલી રહી હતી. પરંતુ 2017 માં તે સમાપ્ત થઇ ગઇ.

ટૂટી હલવા સેરેમનીની પરંપરા

5/5
image

કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2022માં બજેટ છપાય તે પહેલા યોજાનાર હલવા સમારોહ પણ કરવામાં આવ્યો ન હતો. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે હલવા સમારંભને બદલે મુખ્ય કર્મચારીઓને તેમના કાર્યસ્થળો પર 'લોક-ઇન' કર્યા પછી મીઠાઈઓ આપવામાં આવી હતી.