36 દિવસ માટે બનશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ધન-સંપત્તિમાં થશે વધારો

Budhaditya Rajyog in Kanya: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને ધનલાભ અને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
 

બુધાદિત્ય રાજયોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા રાજયોગનું વર્ણન મળે છે, જેના કુંડળીમાં હોવાથી માન-સન્માન, પ્રતિષ્ઠા અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. તો તમને જણાવી દઈએ કે આ યોગ જન્મની સાથે-સાથે વચ્ચે પણ બનતા રહે છે. અહીં અમે વાત કરવા જઈ રહ્યાં છીએ બુધાદિત્ય રાજયોગ વિશે, જે સૂર્ય અને બુધની યુતિથી બને છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સાથે 23 સપ્ટેમ્બરે વેપારના દાતા બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંનેની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. સાથે આ રાજયોગના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

સિંહ રાશિ

2/5
image

તમારા માટે બુધાદિત્ય રાજયોગ ભાગ્યશાળી રહી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે અચાનકથી અટવાયેલા પૈસા મળશે અને ઘણી યોજનાઓ પૂર્ણ થશે. આ સમયે મોટા-મોટા લોકો સાથે તમારા સંબંધ બનશે. તમને વેપાર આગળ વધારવાની તક મળશે. કારોબારમાં ખુબ નફો થશે અને તમારી બૌદ્ધિક ક્ષમતા પણ વધશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.  

વૃશ્ચિક રાશિ

3/5
image

બુધાદિત્ય રાજયોગનું બનવું વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે કારોબારમાં સારી કમાણી થવાથી નફો થશે અને તમે પ્રગતિ કરશો. આ દરમિયાન તમને રોકાણથી લાભ મળી શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે વિચારેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. 

મકર રાશિ

4/5
image

તમારા લોકો માટે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ લાભકારી રહેશે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ભાગ્ય અને વિદેશ ઘરમાં બની રહ્યો છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે અને કરિયરમાં અચાનક ગ્રોથ હાસિલ થશે અને તમારા પગારમાં વધારો થઈ શકે છે. આ સમયે તમે નાની કે મોટી યાત્રાઓ કરી શકો છો, જે શુભ રહેશે. સાથે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયે તમે નાણાની બચત કરવામાં પણ સફળ થશો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.