Health Tips: ભૂલથી પણ ફ્રીઝમાં ના રાખો આ ફળ અને શાકભાજી, લેવાના દેવા પડી જશે

Fruits And Vegetables: જ્યારથી ફ્રિજ આવ્યું છે ત્યારથી લોકો તાજા ફળો અને શાકભાજી ખાવાનું ભૂલી ગયા છે. ફ્રિજ ખોરાકને બગાડતા અટકાવે છે. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી બગાડથી બચાવી શકાય છે. ખાસ કરીને ફળો અને શાકભાજી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીજમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીજમાં ન રાખવી જોઇએ.

કાકડી

1/5
image

કાકડીમાં ઠંડકની અસર હોય છે. જ્યારે ફ્રીજમાં રાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઠંડી થઈ જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સડવા લાગે છે, આવી કાકડી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ટામેટાં

2/5
image

ટામેટાંને ફ્રીજમાં રાખવાનું ટાળો. ફ્રીજમાં રાખેલા ટામેટાં ઝડપથી બગડી શકે છે. આનાથી ટામેટાંનો સ્વાદ અને પોષણ પણ ઘટે છે.

બટાકા

3/5
image

બટાકાને ફ્રીજમાં રાખવું યોગ્ય નથી. બટાકાને ઠંડીમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચમાં ફેરફાર થાય છે. આવા બટાકાનો ટેસ્ટ મીઠો બને છે. ફ્રિજમાં બટાકા ઝડપથી સડવા લાગે છે.

લસણ

4/5
image

લસણને ફ્રીજમાં રાખવાનું ટાળો. તેને બંધ જગ્યાએ રાખવાથી ઝડપથી બગડવા લાગે છે. લસણ ફ્રીજમાં રહેલા ભેજને શોષી લે છે. લસણને ફ્રીજમાં રાખવાથી અન્ય શાકભાજીમાં પણ દુર્ગંધ આવી શકે છે.

ડુંગળી

5/5
image

ડુંગળીને હવાવાળી જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે ડુંગળીને ફ્રિજ જેવી બંધ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે તે અંકુરિત થવા લાગે છે અથવા તે સડીને બગડી જાય છે. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.