ડાકોરના ઠાકોરને ધરાવાયો 151 મણનો અન્નકૂટ, પ્રસાદી લૂંટવા 80 ગામના લોકો પહોચ્યા

Dakor Temple Diwali Annakut : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. સ્વભાવિક રીતે દર વર્ષે બેસતા વર્ષના દિવસે આ અન્નકૂટ ઉજવાતો હોય છે. નક્ષત્ર પ્રમાણે આજનું નક્ષત્ર આવતા આજે પડતર દિવસના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. 151 મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવામાં આવ્યો હતો.
 

1/8
image

આજે દિવાળીના પડતર દિવસે અન્નકૂટની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવી હતી. 

2/8
image

પરંપરા મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજુબાજુના ૮૦ જેટલા ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

3/8
image

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ડાકોર મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. અલગ અલગ ગામના લોકો આમંત્રણને માન આપી ડાકોર મંદિર પહોંચ્યા હતા.

4/8
image

અન્નકૂટ લૂટ્યા બાદ અન્નકૂટની પ્રસાદી લૂંટવા આવેલા માણસો દ્વારા પોતાના સગાવ્હાલાને ત્યાં મોકલવામાં આવે છે. 

5/8
image

6/8
image

7/8
image

8/8
image