ICC ચેરમેન બન્યા બાદ પહેલીવાર જય શાહે સાળંગપુરમાં લીધા દાદાના આર્શીવાદ, PHOTOs

Jay Shah At Salalnupur Hanuman Temple : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ICC ના ચેરમેન જય શાહે દાદાના દર્શન કર્યાં. ગુરુવારે જય શાહ ICC ના ચેરમેન બન્યા બાદ પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી. 

1/4
image

જય શાહે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સાંજની આરતીના દર્શન કર્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના કોઠારી સ્વામી, ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને જય શાહનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.   

2/4
image

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી દ્વારા જય શાહને દાદાની મૂર્તિ ભેટ અપાઈ હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ ગોપીનાથજી ભગવાનની પ્રતિમા ભેટ આપી હતી.  

3/4
image

મંદિર દ્વારા જણાવાયું કે, ICCના  સૌથી યુવા ચેરમેન તરીકે  નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા. સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ICCના  સૌથી યુવા ચેરમેન તરીકે  નિયુક્ત થયા બાદ પહેલીવાર પધાર્યા હતા. તેમણે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી  કરી હતી. આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ  મેળવી અને ધન્યતા અનુભવી હતી.

4/4
image