કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો, હાઈવે પર લોકોના ટોળા જામે છે

Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ઠંડી આવે એટલે ગુજરાતના છેડાવાનો જિલ્લો કચ્છની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. કચ્છના રણનો નજારો માણવા મોટી સંખ્યામા પ્રવાસીઓ આવી પહોંચે છે. કચ્છ જઈએ એટલે દાબેલી અને ગુલાબપાક યાદ આવે. પરંતુ કચ્છની વધુ એક ખાણીપીણી હોટ ફેવરિટ છે. કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો છે. કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતો હોય છે. કોરોનાકાળમાં માવાનું વેચાણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ શરૂ થતાં ફરીથી માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને રોનક છવાઈ ગઈ છે. રણોત્સવનો પ્રારંભ થતાં મીઠા માવાનું વેચાણ વધ્યું છે. 
 

કોરોના મહામારીના બે વર્ષ બાદ રણોત્સવ સ્થાનિકો માટે આર્થિક લહેર બનીને આવ્યો

1/5
image

છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે સફેદરણ અને રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની અવરજવર પ્રમાણમાં ખૂબ ઓછી રહી હતી. જેથી બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના વેચાણમાં ખોટ આવી હતી અને બન્નીના માવાઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટતા જિલ્લાના તમામ પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી ધમધમી રહ્યા છે. રણોત્સવ શરૂ થયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે માલધારીઓને અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.

5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને

2/5
image

કચ્છી મીઠો માવો એ બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે. તેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. દૂધના મિશ્રણને 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટવાળું દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે. પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

હવે અલગ અલગ ફ્લેવરના માવા બનાવાય છે

3/5
image

ભીરંડીયારા ખાતે 70 જેટલા વેપારીઓ માવો વેચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15 થી 20 કિલો માવાનું વેચાણ કરે છે અને દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થતું હોય છે. તથા સાદો માવો 300 થી 350 રૂપિયે કિલો વેંચાતો હોય છે. તો ડ્રાયફ્રુટ માવો 400 થી 450 રૂપિયે કિલો વેચાતો હોય છે. 

માવો વેચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો કરે છે વેપાર

4/5
image

હાલમાં 26 ઓકટોબરથી રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદરણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે તેવુ વેપારી અલી મામદે જણાવ્યું.   

5/5
image