Narmada Parikrama: નર્મદા પરિક્રમા પર નિકળી 4 વર્ષની બાળકી, જુઓ ભક્તિમાં ગળાડૂબ માસૂમના જુસ્સાની તસવીરો

Narmada Parikrama: માં નર્મદા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને આસ્થા અતૂટ છે. તેના કારણે નર્મદા પરિક્રમની પરંપરા છે. દર વર્ષે આ પરિક્રમમાં કેટલી એવી તસવીરો આવે છે, જે તમારૂ મન મોહી લે છે. આવી એક તસવીર આ વર્ષે પણ સામે આવી છે, જેમાં એક ચાર વર્ષની બાળકી માં નર્મદાની પરિક્રમા માટે નિકળી છે. જુઓ તસવીરો અને બાળકી વિશે...

1/5
image

પહેલીવાર એક ચાર વર્ષની રાજેશ્વરગિરી મહારાષ્ટ્રથી નર્મદા પરિક્રમા પર નિકળી. રાજેશ્વરી દરરોજ 25 કિલોમીટર સુધી ચાલે છે. આ યાત્રા દરમિયાન તે દેવાસના નેમાવાર પહોંચી છે. 

2/5
image

નેમાવર પહોંચેલી રાજેશ્વરગિરી નર્મદાના નાભિ સ્થળ પહોંચી, જ્યાં તેણે માં નર્મદાની પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. 

3/5
image

રાજેશ્વરગિરી છ સભ્યોના દળની સાથે 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રથી નિકળી હતી. તેની સાથે માતા અર્ચનાતયગિરી અને અન્ય પરિવારના ભૂષણ શ્રીમંત મશાલ, રત્નમાલા શિન્દે અને ગણેશ શિંદે પરિક્રમા કરી રહ્યાં છે. 

4/5
image

પરિક્રમા પર નિકળેલા લોકો ચાલતા-ચાલતા થાકી જાય છે, પરંતુ ચાર વર્ષની બાળકી રાજેશ્વરગિરી ક્યારેય થાકતી નથી. તેની નર્મદા પ્રત્યે અતૂટ આસ્થાને કારણે સાથે ચાલનાર દળના સભ્યોને પણ ઉર્જા મળી રહી છે. 

5/5
image

અત્યાર સુધી રાજેશ્વરગિરી બે મહિનાની યાત્રા પુરી કરી ચુકી છે અને બાલિકાએ બે મહિનાની હજુ સફર કાપવાની છે. આ ઠંડીની સીઝનમાં બાલિકાની નર્મદા મૈયા પ્રત્યે અતૂટ આસ્થા જોવા લાયક છે.